SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. રહ નું કર્તવ્ય છે એ વાતની શંકા કઈ આંતરવાદીને સ્વમમાં પણ આવી નથી. ઉલટું તેઓ કહે છે કે એ કર્તવ્ય છે એવું જ્ઞાન આપણને અંતરમાં પ્રત્યક્ષ-સિદ્ધ છે; આપણે સ્વાર્થ તેથી સરે છે એવા શોધથી તે નથી થતું. પરંતુ સઘળા સદ્દગુણ સુખ-વૃદ્ધિના આ એકજ નિયમને વશવત છે એ વાત સ્વીકારવાની તેઓ ના પાડે છે. લેક-વિચારની સાથે એક મત થઈ પરોપકારને તેઓ સદાચાર લેખે છે તે એટલાજ માટે કે દુનિયાને એ ઉપયોગી છે, અને ઉપયોગિતા કિવા જનસેવાને તેઓ કર્તવ્ય તરીકે સ્વીકારે છે. એજ લેક-વિચારની સાથે એકમત રહી તેઓ માને છે કે સત્ય અને પતિવ્રત્યથી સુખ થાઓ વા દુઃખ થાઓ, પણ તે જાતેજ સદાચાર છે. તેમની બીજી દલીલમાં જે પ્રકન સમાએલો છે તેનું ઉત્તર આપવું એટલું સહેલું નથી, કારણ કે કાર્યોનાં છેવટ પરિણામેની ગણત્રી કરવી મુશ્કેલ છે. કાર્યની સારાસારતા વિષે જ્યાં મનુષ્યોમાં વિવાદ હોત નથી ત્યાં પરિણામ પર તેમના વિચાર ઘણું કરીને બહુ સ્પષ્ટ હોય છે. અમારો સિદ્ધાંત ઘણે ચોક્કસ છે એવી આપવડાઈ જનહિતવાદીએ કરે છે, છતાં “સુખ’ શબ્દની પણ ચેકસ વ્યાખ્યા તેઓ બાંધી શકતા નથી, અને બાંધી શકાય એવી પણ નથી. “બની શકે તેટલા સુખ ના આવશ્યક લક્ષણે ક્યાં ? એ કોઈ પણ માણસ બરાબર કહી શકતું નથી. પ્રજા પ્રજાના, અરે કહે કે માણસ માણસના પણ સુખના વિચાર જુદા જુદા હોય છે. અને દરેક સદાચાર ઉપયોગી હોય છે એ બાબતમાં કંઈ વિવાદ ન હોય તો પણ તેમાંથી એમ ફલિત થઈ જતું નથી કે ઉપયોગિતાને લીધે તેમાં શ્રેષ્ઠતા આવે છે. સદ્દગુણી કાર્ય સામાન્ય રીતે તેના કર્તાને અગર છેવટે સમાજને એકંદરે ઉપયોગી થાય છે એ વાત સ્વીકારવામાં અડચણ નથી. પણ તેથી કરીને ઉપયોગીતા નીતિને સર્વોપરી નિયમ થઈ જતો નથી. વળી કાર્યોની ગણના તેમાંથી ઉપજતા ફળથીજ કરવા બેસીએ, તો પરિણામ ઘણાં ચોંકાવનારાં આવશે. ઉપયોગિતાને સિદ્ધાંત એવો છે કે જે કાર્યથી મનુષ્ય જાતનું સુખ વધે તે સારું અને જેનાથી તે સુખ ઓછું થાય તે નઠારું.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy