SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ યુપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. યા નઠારીએ નૈતિક નિર્ણય આપણને તાત્કાલિક અને પ્રત્યક્ષ-સિદ્ધ છે. અને તેથી કરીને તેમાં પંડે પેટે કરેલી સ્વાર્થની ગણત્રીને ગંધ પણ હેત નથી. છતાં પણ જનહિતવાદીઓ કહે છે કે આપણા સઘળા નૈતિક નિર્ણયો મુદે સ્વાર્થનીજ ગણત્રી હોય છે. આના જવાબમાં વિચાર–સાહચર્યવાદીઓ કહે છે કે વિચાર–સાહચર્યના બળે એક પ્રકારની એવી વૃત્તિ આપણામાં ઉપજી આવે છે કે પછી એજ આપણે એવા નિર્ણયમાં કારણભૂત થાય છે. આમ મનોદેવતા આપણા સ્વભાવમાં એક વાસ્તવિક અને અગત્યનું તત્વ બને છે. તેથી સદ્દગુણથી ઉપજતા દૂરસ્થ પરિણામેની દરકાર રાખ્યા વિના સુખના એક પ્રકાર તરીકે સદ્દગુણને સદ્દગુણની ખાતર માણસ ચાહે તે તે શક્ય વાત છે. વળી કેળવણી ઉપર આ મત એટલું બધું વજન મૂકે છે કે તેથી પણ વ્યવહારમાં અગત્યનું સ્થાન એને પ્રાપ્ત થાય છે. સુખકારક વસ્તુઓ પ્રત્યે આપણી વૃત્તિ અવશ્ય ખેંચાય છે. એટલા માટે વિચાર-સાહચર્યના નિયમને જેમ બને તેમ વેહેલે અમલમાં મૂકી મનુષ્યોને એવી રીતે કેળવી દેવાં કે તેથી સદાચાર પ્રત્યે તેઓ આકર્ષાયલાં રહે અને દુરાચાર પ્રતિ તેમને તિરસ્કાર ઉપજે. સદાચારની સાથે પ્રશંસા અને સુખ જોડાએલાં છે એવું સમજવાની જે નાનપણથી જ ટેવ આપણને પડે, તે આપણી પ્રવૃત્તિ સદાચારમાં સહેલાઈથી થશે અને દુરાચારની સાથે જોડતાં જે શીખશું, તે દુરાચારી થઈશું. તેથી કેળવણી કિંવા મહાવરાથી જે સ્વભાવ આપણે પાડશું તે પડશેજો કે આ સ્વભાવ કેળવણીનું પરિણામ હોવાથી કેવળ કૃત્રિમ અને વિચાર-સાહચર્યના બળેજ ઉપજેલે હોય છે. છતાં આ સિદ્ધાંત માત્ર આપાતરમયજ છે, કારણ કે વાસ્તવિક રીતે તે સ્વાર્થનેજ સિદ્ધાંત છે. સદ્દગુણની ખાતર સઘળી વ્યાવહારિક વસ્તુ એને ભોગ આપને સદાચારી માણસ આ મત પ્રમાણે માત્ર પોતાના મને માનેલી મોટામાં મોટી મેજ મેળવવાને જ ઉત્સુક હોય છે. કેઈપણ રીતે પૈસાને ઉપભેગા કરવા કરતાં માત્ર પૈસા ભેગા કરવામાં જેમ કંજુસ વધારે આનંદ માને છે તેમ આ મતનો સદાચારી માણસ ગમે તે ભોગ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy