SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ, 13 એ આનંદ આપણને અનાયાસે જ પ્રાપ્ત થાય છે, અર્થાત આપણી પ્રવૃતિનું પ્રોજન એ આનંદ નથી. પરંતુ જનહિતવાદીના સિદ્ધાંતમાં વિચાર-સાહચર્યને નિયમ ઘણું અગત્યનું સ્થાન ભોગવે છે. વસ્તુઓને પ્રથમ આપણે ઈચ્છીએ છીએ તેનું કારણ કે તેથી આપણને સુખ મળે છે. પણ વસ્તુ અને તેથી મળતું સુખ આપણું અનુભવમાં એવાં સંકલિત થઈ જાય છે કે એક વિચાર આવતાં બીજાનો વિચાર આવ્યા વિના રહેતો નથી. તેથી સુખને વિચાર ધ્યાનમાંથી ખસી જતાં વસ્તુની ખાતર જ વસ્તુને પછી આપણે ચાહીએ છીએ. એ જ પ્રમાણે સગુણને પણ સદ્દગુણની ખાતર આપણે ચાહીએ છીએ. પરંતુ વિચાર-સાહચર્યના આ નિયમને સ્પષ્ટ અને વિસ્તૃત સ્વરૂપમાં મૂકનાર હાર્ટલી છે. એની દષ્ટિ તે માત્ર માન–શાસ્ત્ર ઉપરજ હતી. પણ જ્યારથી જનહિતવાદીઓએ નીતિશાસ્ત્રમાં એ નિયમને ઉપયોગ કરવા માંડ્યો છે, ત્યારથી જ તેનું માહાસ્ય ઘણું વધી ગયું છે. આ નિયમની સત્યતા વિષે ગમે તે વિચાર આપણે બાંધીએ, પણ જે લેકે એમ કહે છે કે સ્વભાવથી જ મનુષ્યનું કેવળ સ્વાર્થી જીવન વિચાર–સાહચર્યના બળેજ છેવટે અત્યંત બીન-સ્વાર્થી થઈ શકે છે, તે લોકોના બુદ્ધિબળની તે કાંઈક તારીફ આપણે કરવી પડે છે. કેવળ સ્વાર્થ-વૃત્તિમાંથી કેવળ પરોપકાર વૃત્તિ કેમ જન્મે છે એ વાત તેઓ લેભ-વૃત્તિના દષ્ટાંતથી સમજે છે. પૈસે જાતે સુખ આપી શકતા નથી. તેમ તે ખુદમાં કાંઈ પ્રશંસનીય તત્ત્વ નથી. ભૂખ લાગે તે પૈસે ખવાત નથી. અથવા રૂપીઓની હાર કરી તેમાં બેસી દિલ્હી જવાતું નથી, પરંતુ આપણી ઘણી ખરી ઈચ્છિત વસ્તુઓ મેળવવાનું તે સાધન માત્ર છે. તેથી આપણું મનમાં સુખના વિચારની સાથે તે સંલગ્ન થાય છે. તેથી આપણે તેને ઈચ્છીએ છીએ. હવે પૈસાથી વસ્તુઓ ખરીદ થઈ શકે છે એ વાત મનમાંથી અળગી થતાં પૈસાની ખાતર કે પૈસાને ચાહે તે તે વાત બને તેવી છે. અને કંજુસની કહાણી પણ બીજી શી હોય છે! દુઃખ વેઠીને પણ તે પૈસો જ ભેગા કરે છે.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy