SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 10 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. છે કે આવી અનિશ્ચિતતાને લીધે જ જેમ બને તેમ ધર્મ-ભાવનામાં માણસે ઉત્સાહી રહેવું એ ડહાપણનું કામ છે અને વળી દરેક જાતના સદ્દગુણ કે દુર્ગુણને માટે પ્રભુના દરબારમાં ક્રમવાર કેઠે ઘણું કરીને તૈયાર છે. બીજે આક્ષેપ એ છે કે આ દુનિયાના સુખો એ કસ છે એટલી વાત તે સિદ્ધ છે; પણ પારલૌકિક સુખની એવી ખાત્રી કયાં છે? એ સુખો આપણને મળશે કે કેમ તેની કોને ખબર છે? આના જવાબમાં તેઓ કહે છે કે પારલૌકિક સુખ દુખ એવાં ગંભીર પ્રકારનાં અને મોટાં છે કે તેમની સંભવિતતા કે શયતાની ખાતર પણ ડાહ્યા માણસે તે મેળવવા કે દૂર કરવા પ્રયાસ કરે જોઈએ. જનહિતવાદના વિશાળ પ્રવાહને કાંઈક તજી દઇને કેટલાક વળી એમ કહે છે કે જનહિતતા એ નીતિના કાયદાનો પાયો નથી, પણ પ્રભુની ઈચ્છા અથવા પિતાની મરજીમાં આવે એવું એણે આપેલું ફરમાન એજ નીતિને કાયદો. છતાં આ મતવાળાનો મોટો ભાગ તે જનહિતવાદી જ રહે છે; કારણ કે આપણે એમને પૂછીએ કે ઈશ્વરની ઈચ્છા આપણે શી રીતે જાણવી? તો તેઓ કહે છે કે સાક્ષાત ઈશ્વર આવીને તે પિતાની ઈચ્છા આપણને પ્રગટ કરતું નથી, પરંતુ ઉપયોગિતાના કાયદાથી એ ઇચ્છાનું શોધન થઈ શકે છે. કુદરતના નિરીક્ષણથી સાબીત થાય છે કે ઈશ્વરની ઇ કલ્યાણકારી છે અને મનુષ્યનું કલ્યાણ જ ઈશ્વર ઈચ્છે છે. એટલા માટે જે વર્તનથી એ ઉદેશ સફળ થતું હોય તે વર્તન ઈશ્વરની ઈચ્છાને અનુકૂળ સમજી લેવું. કેટલીક આજ્ઞાઓ ધર્મ-પુસ્તકમાં આપેલી જ હોય છે. અને ન આપી હોય ત્યાં જનહિતતાને નિયમ લગાડી છે. હવે તે ઇચ્છા આમ જાણી શકાય છે એમ આપણે કબુલ કરીએ તો પણ હજી પ્રશ્ન થાય છે કે એ ઈચ્છાને તાબે આપણે શા માટે થવું ? આ પ્રશ્નના બે જવાબ છેઃ પ્રથમ તે, ઈશ્વરને ઉપકાર આપણું ઉપર અત્યંત છે, માટે સ્વાભાવિક રીતે જ તેની ઈચ્છા પ્રમાણે આપણે વર્તવું જ જોઈએ. પણ આ જવાબ આંતરવાદીઓને છે. બીજે જવાબ એ કે સૃષ્ટિ-કર્તાની પાસે અસંખ્ય દાન અને દંડ તૈયાર છે. આ જવાબ આ મતવાળા સામાન્ય રીતે સ્વીકારે છે.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy