SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 2 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. તેમના ભિન્ન ભિન્ન અનુયાયીઓએ અર્વાચીન સમયમાંજ સ્પષ્ટ કરેલા છે; છે અને તેમની દલીલીને લીધે બુદ્ધિને સંશયગ્રસ્ત થવાને અવકાશ રહે છે. એક બીજી બ્રાંતિ પણ અત્ર દૂર કરવી ઉચિત છે. “તમારો નીતિને સિદ્ધાંત માનવાથી અનીતિમાન પરિણામ આવે છે, એમ જે કઈ દાર્શનિકને કહેવામાં આવે છે તેથી પિતાની જાતની વિરૂદ્ધ એ ટીકા થાય છે એમ સમજી તે માણસ વખતે ગુસ્સે થાય છે. પરંતુ એમ ગુસ્સે થવાનું કાઈને કાંઈ કારણ નથી. નીતિપર થતા વાદવિવાદનું એક ખાસ લક્ષણ એ છે કે દરેક આચાર્ય પોતાના પ્રતિપક્ષીની વિરૂદ્ધ એવી જ દલીલ આપે છે. પ્રતિવાદીના સિદ્ધાંતમાંથી કર્તવ્યને વિચાર આપણામાં જન્મી શકતા નથી અથવા આપણે કર્તવ્યપરાયણ રહી શકતા નથી એમ બનાવી આપવા વાદીનો પ્રયાસ હોય છે. અને તેથી આવા પ્રકારની દલીલ આંતરનીતિવાદી અને જનહિતવાદી એકબીજાની સામે કરે છે. પરંતુ તેટલા ઉપરથી તે તે નીતિવેત્તાના પિતાના ચારિત્ર્ય ઉપર આક્ષેપ આવી જાય છે એમ સમજનાર, વ્યવહારમાં નીતિના સિદ્ધાંત કેવું સ્થાન ભોગવે છે એ વાત બરાબર સમજવામાં ભૂલ કરે છે. નૈતિક સિદ્ધાંતેમાંથી આપણા નૈતિક મનેભાવ ઉપજી આવતા નથી, પરંતુ સિદ્ધાંતના સ્થાપનની પૂર્વે લાંબા વખતથી તેમના ભાવ આપણું ચારિત્ર્યમાં સ્થાપિત થએલા હોય છે. અને એવી રીતે સ્થાપિત થયા પછી ઘણું કરીને તેમના વિશે આપણે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિચાર કરવા બેસીએ છીએ. તેથી કરીને મનુષ્યની વિચાર પદ્ધતિમાં કિવા મનનમાં અપૂણતા હોય, છતાં તેના નૈતિક વર્તનમાં અપૂર્ણતા ન હોય એ વાત બને તેવી છે. તેથી કેઈ નીતિવેત્તાના સિદ્ધાંતમાંથો તર્કની દ્રષ્ટિએ ગમે તેવાં પરિણામ આવી શકતાં હોય; તથાપિ તે પિતે અનીતિમાન છે એમ તેથી માની લેવાનું કે વાસ્તવિક કારણ નથી. ઉપર કહેલા સિદ્ધાંતોને લેખકે જૂદા જૂદાં નામ આપે છે અને તેમના અનેક વિભાગ પાડે છે. આંતરનીતિવાદને કેટલાક પ્રેરણવાદ કહે છે અને જનહિતવાદ બાહ્મનીતિવાદને એક વિભાગ લેખાય છે. આંતરનીતિ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy