SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઓની પદવી. 441 વળી સ્ત્રીઓ ધર્મની દીક્ષા લઈ સંસ્થાના નાનાં નાનાં કાર્યોમાં મદદ કરતી. આવી સ્ત્રી કુંવારી રહેતી. લાયક વિધવાઓને, જે તેઓ એકજ વાર પરણેલી હોય તે, ખ્રિસ્તિ ધર્મની સંસ્થા સહાય કરતી અને પાળતી; અને નિરાધાર સ્ત્રીઓ પ્રત્યે બહુ દયા રાખતી. વૃદ્ધ સ્ત્રીઓ પ્રત્યે તે ખાસ માનની નજરથી સંસ્થા જતી હતી. આવા વિચારોને અનુસરી રાજ્યના કાયદામાં પણ ફેરફાર થવા લાગ્યા અને પિતાનાં બાળકોના સંરક્ષક તરીકે માતાઓનો હક સ્વીકૃત થયો. વિધર્મીઓના સમયમાં એ હક સ્ત્રીઓને જ નહોતો. સારાંશ કે ખ્રિસ્તિ ધર્મને લીધે સ્ત્રીઓની પ્રતિષ્ઠા એકંદરે વધી, અને તેથી પુરૂષોના આચરણમાં પણ કમળતા અને વિનય આવ્યાં. કાયદામાં આવા ફેરફાર થયા નહોત તે પણ નીતિનું આખું દષ્ટિબિંદુજ ખ્રિસ્તિ ધમેં એવું ફેરવી નાંખ્યું હતું કે તેથી કરીને સ્ત્રીની પ્રતિષ્ઠા અને ગૌરવ એની મેળે વધ્યાં જતાં હતાં. મધ્ય કાળની મઠાધિકારી સ્ત્રીઓને આગળ પડતે મોભે, સ્ત્રી તેની મેટી સંખ્યા, અને ખાસ કરીને કુંવારી માતા મેરીની પૂજનીયતા, એ બધાની અસર એજ દિશામાં થતી હતી. મેરી-પૂજાથી સ્ત્રીઓનું દૃષ્ટિબિંદુ વિશુદ્ધ બની બેશક બહુ ઉચ્ચ બન્યું છે; કારણ કે મેરીનું નૈતિક મૈદર્ય અનુપમ હતું. વિધર્મીઓની દેવીઓમાં આવું સૈદ નહોતું, વિશેષ કરીને સ્ત્રીને 5 ખાસ સદાચારનું સૌંદર્ય તેમનામાં નહોતું. તેથી તેઓ જાણીતી હોવા છતાં તે પૂજાની આવી ગંભીર અસર થઈ નહોતી. ખ્રિસ્તિ ધર્મની આ સેવાની અસર હજી સુધી પણ પહોંચે છે. ધર્મ સુધારણા કાળે પ્રોટે સ્ટંટ મતે આ મેરી પૂજા મૂકી દીધી, પણ કેથલિક મતમાં એ પૂજા ચાલુ રહી, કેથલિક મત ભાવના-પ્રધાન છે; પ્રોટેસ્ટંટ મતવિચાર–પ્રધાન છે. તેથી કેથલિક મત સ્ત્રીઓને ખાસ અનુકૂળ થાય છે; ટેસ્ટંટ મત પુરૂષોને ખાસ અનુકૂળ લાગે છે. સ્ત્રીનું કામ કે લેવાનું છે અને કેથલિક ધર્મ તે આપે છે; પુરૂષનું કામ પિતાના જ પગ ઉપર ઉભા રહેવાનું છે, અને પ્રોટેસ્ટંટ મતને એજ ઉદ્દેશ છે. આમ આ બને મતના
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy