SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, ધીમે ઉત્પન્ન થયા. આ ક્રમની કાયદાપૂર્વક સંપૂર્ણ વ્યવસ્થા જાગીર-સંસ્થાના કાળમાં થઈ. એ કાળની સાથે આ પુસ્તકને સંબંધ નથી, પણ તેનાં બીજ શાર્લમેનના સમય પહેલાંના કાળમાં હતાં. રાજા સિવાય દરેકને એકબીજાના સંબંધમાં અવશ્ય આવવું પડતું; અને તેથી દરજજાવાળા માણસ મેટો ગણવા લાગ્યો. - પરંતુ સમયના સંજોગમાં અંતહિંત રહેલાં આ બીજને આચરણમાં મૂકી પ્રત્યક્ષ કરી બતાવે અને પિતાના આચરણની ભવ્યતા અને સેંદર્યથી લેકેનાં મન હરી લે એવા દષ્ટાંતભૂત પુરૂષની હવે જરૂર હતી અને તે ખોટ સાલમેને પૂરી પાડી. શાર્લમેન ઈતિહાસ અને દંતકથા બનેમાં પ્રસિદ્ધ છે. તે સર્વદેશી હતા અને જીવનના બધા પ્રદેશમાં એણે સુધારો કર્યો છે. યુરોપના ઈતિહાસના અત્યંત અંધકારમય યુગમાં એનો જન્મ થયો હતો, પણ આ મહાન પાદશાહે પશ્ચિમના રાજ્યની નષ્ટ કીર્તિને શેડો વખત પુનઃ સજીવન કરી, પિતાની આસપાસના જંગલીઓ ઉપર અનેક ચડાઈઓ એણે કરી, અનેક કાયદા બાંધ્યા, ધર્મ-સંસ્થાના દરેક વિભાગમાં સુધારો કર્યો અને ધર્મગુરૂઓને પિતાની આજ્ઞાને આધીન રાખ્યા, પણ દશાંશના કાયદાથી તેમને વધારે પૈસાદાર બનાવ્યા. વળી એણે નિશાળો અને પુસ્તકશાળાઓ સ્થાપી હતી અને સાહિત્યને એ ઉત્તેજન આપતો હતો. એણે ટંકશાળે સુધારી, વેપારને ઉત્તેજન આપ્યું, અને અનેક જાતના મેળાવડા કરતો. આમ અનેક દિશામાં એની બુદ્ધિની પ્રવૃત્તિ હતી. આગલા જમાનામાં તમય જીવન સર્વોત્તમ ગણાતું. હવે રાજા, યોદ્ધો અને શરીરનું જીવન સર્વોત્તમ ગણવા લાગ્યાં, તપધારીને જમાને હવે અદશ્ય થવા લાગે અને ધર્મ યુદ્ધો અને શૌર્યને જમાને આવ્યું. શાલમેને ધર્મયુદ્ધોમાં ભાગ લીધે નહોતે. મુસલમાન સામે સ્પેનમાં લડવા તે એકજવાર ગયો હતો અને તેમાં એને ફતેહ મળી નહોતી. છતાં શાલમેને પિતાની આખી જીંદગી ધર્મયુદ્ધોમાં ગાળી હતી એવી અનેક કથાઓ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy