SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ---~-~ ~ કન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 337 ~ ~ ~~... - અવશ્ય કરીને અસ્ત પામે છે. લશ્કરી વ્યવસ્થામાં પણ વગર પ્રેમને હુકમને તાબે થવાને રિવાજ હોય છે, તેથી તે ટેવ પણ રાજાની સ્વતંત્ર સત્તાને તાબે રહેવા માણસનાં મન તૈયાર કરે છે. પરંતુ એકંદરે લશ્કરી વ્યવસ્થા કરતાં મઠની સંસ્થા સ્વતંત્રતાની વધારે વિરેાધી છે, કારણ કે સાધુઓની આજ્ઞાધીનતાને પાયો દીનતા હોય છે, પરંતુ સિપાઈની આજ્ઞાધીનતા સાથે અભિમાન પણ રહેલું હોય છે. અને અભિમાનના મેટા અંશની સાથે સ્વતંત્રતાને જુસ્સો હમેશાં રહેલો હોય છે. દીનતાને જે અગ્રસ્થાન મઠની સંસ્થાએ આપ્યું હતું તે પણ કાયમ ટકર્યું નથી. દીનતા એ સંતના સંપૂર્ણ ચારિત્ર્યનું ખરેખરું ભૂષણ અને સૈદર્ય છે; પરંતુ અનુભવ એ છે કે સામાન્ય માણસમાં મગરૂરી આપ વડાઈનું રૂપ લે છે તેના કરતાં દીનના ગુલામગીરીનું રૂ૫ વધારે લે છે; અને હાલના જમાનામાં દીનતામાં નહિ, પણ આત્મ-ગરવમાં સદાચારની શભા ગણાય છે. પાછળને નૈતિક ઈતિહાસમાં બે પગલાં એવાં ભરાણ છે કે જેને લીધે મગરૂરીની ભાવના ઉપજી આવી છે અને તે ઘણાં સદ્દગુણોનું મૂળ અને સંરક્ષક ગણાય છે. પ્રથમ તે શૈર્યભાવના (Chivalry) એમની આ દીનતા ઉપર તડાપ મારી છે, કારણ કે એ ભાવનામાં મગરૂરી અને ગમે તેમ કરીને પણ પિતાની લડાયક પ્રતિષ્ઠાને સાચવી રાખવાનું ભાન રહેલું છે, અને આ ભાન તે સમયે ઉપજ્યા પછી કદિ મટી ગયું નથી. વળી દીનતા કષ્ટ પાડવા સ્વમાનકિંવા આત્મગૌરવની લાગણની ઉત્પત્તિ બીજું પગલું નીવડયું છે. પ્રટેટ પ્રજાઓનું ખાસ લક્ષણ આ આત્મ-ગૌરવ છે, અને તેને લીધે કેથેલિક પ્રજાથી પ્રોટેસ્ટંટ પ્રજાનો ભેદ સ્પષ્ટ જણાઈ આવે છે. અને નીતિપર આ આત્મગૌરવ તે પ્રજામાં એક પ્રબળકારક શક્તિ નીવડી છે, કારણ કે તેથી માણસે સ્પષ્ટવક્તા અને સ્વતંત્ર સ્વભાવના થવા લાગ્યાં છે, અને હાજી હા કહેવાની ટેવ જેવા હલકા, નીચ અને ચારિત્ર્યને ભ્રષ્ટ કરતા દુરાચાર ઉપર અંકુશ રહેવા લાગે છે. પ્રોટેસ્ટંટ પ્રદેશમાં આ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy