SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ફન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 329 મૂર્તિઓ ભાંગી નાખતા. પરંતુ ત્રણ મોટાં કારણોની ભેગી અસરથી આ મઠ-સંસ્થાનું જેસ વ્યાવહારિક પ્રવાહમાં વળી ગયું: (1) પાશ્ચાત્ય દેશનાં હવા પાણી જ એવાં હતાં કે ત્યાં લેકેને નિરૂઘમી અને આળસુ બેસી રહેવું પાલવે નહિ અને છતાં તેમની જાત સખત દેહદમન કરી શકે નહિ અથવા બેઠાડુ પૂર્વ-વાસીની ભ્રાંતિઓને આનંદ લઈ શકે નહિ. તેથી ચંચળ જીવનમાં પ્રવૃત્ત થવાની તેમને જરૂર પડતી; (2) છઠ્ઠા સૈકામાં, સંત કોલબિયા વિગેરેના વર્ગ સાથે ભળીને સંત બેનેડિટને વર્ગ ઉભો થયો, અને તેમણે નિરર્થક પ્રાયશ્ચિતની જંગલી સખતાઈ ઓછી કરીને મઠની સંસ્થામાં મહેનતને આવશ્યક તત્વ બનાવ્યું અને આમ તે સંસ્થાને સામાન્ય સંસ્કૃતિના પ્રવાહમાં વાળી લીધી; (3) અને જંગલીઓના હુમલાથી પશ્ચિમ મહારાજ્ય નષ્ટ પામ્યું, રાજ્ય-વ્યવસ્થા અને સામાજીક સંસ્થાઓ છિન્નભિન્ન થઈ ગઈ, અને લગભગ મૂળ સ્થિતિએ સમાજ આવી ગયો. તેથી અતિ અગત્યના સામાજીક, રાજકીય, અને બુદ્ધિ વિષયક કર્તવ્યો બજાવવાનું કામ મઠન મંડળ ઉપર સ્વાભાવિક રીતે જ આવી પડયું. એવું કહેવાય છે કે એલેરિકે જ્યારે રોમ સર કર્યું ત્યારે તેના વમળમાં વિધર્મીઓના ધર્મનાં નામ નિશાન પણ ચાલ્યાં ગયાં; તેથી રેમમાં ખ્રિસ્તિ ધર્મ સર્વોપરિ થઈ પડયો. પાશ્ચાત્ય સંસ્કૃતિના સામાન્ય પતન પરત્વે પણ એવું જ કથન કહી શકાય એમ છે. અર્થાત , જંગલીઓના હુમલા પહેલાં જે કે ખ્રિસ્તિ ધર્મ રેમમાં પ્રવર્યો હતો, તથાપિ વિધર્મીઓના તાત્વિક મતમતાંતર અને રૂઢ સંપ્રદાય તેમજ પ્રાચીન પણ જીર્ણ થઈ ગએલા સમાજમાં ઘર કરી બેઠેલા રૂઢિ, રિવાજોને લીધે ખ્રિસ્તિઓને ઉત્સાહ વારંવાર ભાંગી પડતો હતો. પરંતુ જંગલીઓને વિજય થવાથી પ્રાચીન રૂઢિઓ અને સંપ્રદાય અસ્તવ્યસ્ત થઈ ગયા અને તેથી ખ્રિસ્તિ ધર્મને કુંવારી ભૂમિ પ્રાપ્ત થઈ, અને તેથી કરીને લાંબા વખત સુધી તે સંસ્થા એલી જ સુધારાનું કેન્દ્ર રહી હતી. - આ અણીને સમયે ખ્રિસ્તિ ધર્મગુરૂઓએ પણ હિંમત અને ચતુ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy