SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આ બીજ સમયના સંજોગના બળે વિકાસ પામતાં ગયાં. અનાર્ય પ્રજાને જીતી પિતાના દેશને વિસ્તાર કરતાં કરતાં તેમને રાજાની જરૂર પડી. તેથી રાજ્ય બંધાવા લાગ્યાં, અને નિયમસર વ્યવસ્થા થવા લાગી. શત્રુઓને હરાવે અને દેશનું સંરક્ષણ કરે એ ક્ષત્રી-વર્ગ ઉભે થે. વેપાર વધતાં વૈશ્ય વર્ગ ઉભે થે, અને યજ્ઞયાગાદિ કરવાં બ્રાહ્મણ-વર્ગને ભાગે રહ્યાં. અનાર્યોને સુધારી તેમની દાસવર્ગ તેમણે બનાવ્યો. આમ બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણ ઉભા થયા. આ બધું બ્રાહ્મણ કાળમાં અને આરણ્યકકાળમાં બન્યું લાગે છે અને સૂત્રકાળમાં સૂત્રરૂપે ગુંથાવા લાગ્યું. હવે વર્ણવ્યવસ્થા બંધાતાં અરસપરસ વ્યવહાર અને સંબંધની વ્યવસ્થા થવા લાગી. ત્રિવર્ણમાં માંહોમાંહે લગ્ન થતાં હોય એમ જણાય છે. બ્રાહ્મણ ક્ષત્રીની કન્યા પરણે અને ક્ષત્રી વૈશ્યની કન્યા પરણે તે અનુલેમ વ્યવહાર કહેવાતું. તેથી ઉલટું બને તે પ્રતિમ વ્યવહાર કહેવાતું. આ પ્રાતલોમ વ્યવહાર પ્રત્યે આર્યોને બહુ અણગમે હતે. વીર્યહાનિ કે ક્ષેત્રદોષ થતાં જે અનિષ્ટ પરિણામે આવે છે તેમને ભય આર્યોને બહુ રહેશે હોય એમ જણાય છે. તેથી જ તેમને કુળ અને જાતિનું બહુ અભિમાન રહેતું હતું. પરંતુ જન-સ્વભાવમાં રહેલું વિકારનું પ્રબળ તત્ત્વ નિયમ કે વ્યવસ્થાની બેડીને વારંવાર તેડી નાખે છે. આ વાત બરાબર લક્ષમાં ઉતારવાથી આગળ જતાં જે અનેક નાતે અને પેટા નાતે થઈ તે બરાબર સમજી શકાશે. છે પરંતુ આર્ય જીવનમાં વિચારનું એક બીજું વેન પણ વહેતું હતું. મનુષ્ય જીવનને કોઈ ગંભીર અને ગહન ઉદ્દેશ હવે જોઈએ એવી ભાવના આર્ય જીવનમાં મૂળથી જ અંતર્ગત રહેલી છે. આ ભાવનાને પિષવા અર્થ આશ્રમની વ્યવસ્થા થઈ અને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ બની પ્રથમ આ ભાવના દેવપ્રાર્થના રૂપે પ્રતીત થવા લાગી; અને દેવને સંતોષવાનો પ્રયત્ન થવા લાગ્યા. પછી યજ્ઞકાળ આવતાં દેવોને બધું અપણ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy