SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ 294 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ. મહ જેવાનું પાપ વહોરવું પડે. આ ધર્મ સંકટ માથે આવી પડતાં તે તેમાંથી છૂટવાની ચતુરયુક્તિ રચી. વેશ પાલટીને અને પિતાની આંખો બંધ રાખીને માતાની પાસે એ ગયો. માતાએ પિતાના દીકરાને ઓળખો નહિ; અને દીકરાએ પિતાની માતાને જોઈ નહિ. એવી જ રીતે સંત પાઅરની બહેને પોતાના ભાઈને રૂબરૂ થવાની આજ્ઞા મેળવી. આજ્ઞાનો અમલ થયો, પણ સંત સાહેબે નિશ્ચયપૂર્વક મુલાકાત દરમ્યાન પોતાની આંખો ઉધાડી નહિ. સંત પીમેન અને તેના છ ભાઈઓએ તપજીવનની પવિત્રતા પ્રાપ્ત કરવા માટે પિતાની માતાને તજી દીધી હતી. પરંતુ દીકરાના અનુપકારથી માતાને પ્રેમ કવચિત્ જ મટી જાય છે, અને તેથી વૃદ્ધાવસ્થાની નબળાઈથી વાંકી વળી ગએલી આ બુદ્રી સ્ત્રી પિતાનાં વહાલાં છોકરાઓ ના મુખનું એકવાર ફરીથી દર્શન કરવા મીસરના જંગલમાં ગઈ. પિતાની મઢીમાંથી દેવળમાં જવા માટે બહાર નીકળી આવતા પિતાના દીકરાઓને એણે દૂરથી જોયા, પણ તુરત જ આ દીકરાઓ પાછા પિતાની મઢીમાં ભરાઈ ગયા, અને લથડી ખાતી માતા મઢીએ પહોંચે તે પહેલાં તે એક જણે આવી મઢીનાં બારણું વાસી દીધાં. તેથી રેતી કળકળતી તે બહાર જ પડી રહી. પછી સંત પીમેન બારણુ પાસે આવે, પણ બારણું ઉઘાડયા વિના કહેવા લાગે - વૃદ્ધ છતાં તું આવી બુમ પાડી શા માટે વિલાપ કરે છે ? માતાએ દીકરાને સાદ ઓળખ્યો અને કહ્યું “દીકરાઓ, હું તમારું મોં જેવા આવી છું. હું તમારું મોં જોઉં તેથી તમને શું નુકસાન થવાનું છે? હું તમારી મા નથી ? મેં તમને ધવરાવ્યા નથી? હવે હું ઘરડી થઈ છું અને મારા શરીર ઉપર કરચલીઓ વધી ગઈ છે. તમારો સાદ સાંભળીને મારા હૃદયને દુઃખ થાય છે.” છતાં સંત ભાઈઓએ બારણું ખોલવાની ના કહી. અમારું મોત થયા પછી અમને જે જે એવું કઠોર વચન તેમણે પિતાની જનેતાને કહ્યું. આ ચરિત લખનાર કહે છે કે માતા અંતે આવી આશાથી સંતોષ પામી ત્યાંથી જતી રહી. આવા અનેક હૃદયદ્રાવક પ્રસંગે બનતા, પરંતુ સાધુઓ નિષ્ફર જ રહેતા. બીજી બાબતોની પેઠે આ બાબત
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy