SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્સ્ટનટાઈથી શાર્લમેન સુધી. 277 અને તત્વચિંતનને જ ઉપદેશ કરતા હતા. મિસરની ફિલસુફીમાં તે એ વલણ એથી પણ વધારે પ્રબળ હતું. ખ્રિસ્તિ સંસ્થાની આસપાસ ચારે તરફ એવો વિચાર પ્રચલિત હતું કે જડ પ્રકૃતિ જાતે જ દુઃખદ છે. આ પ્રમાણે તપોવૃત્તિના એકાએક ઉદભેદને માટે જમીન તૈયાર હતી; અને તેમાં બીજા પડવાની જ જરૂર હતી. આ બીજ ડેશિયસના જુલમ દરમ્યાન પડયું, એ ત્રાસના સમયમાં પોલ નામને સાધુ જંગલમાં નાસી ગયો અને સન્યાસી વર્ગને પ્રથમ પ્રવર્તક થયો. પછી એન્ટની થશે. પછી થોડા વર્ષોમાં તે સન્યાસીઓની એક મોટી જમાત થઈ પડી, જુલમના ત્રાસથી માણસે પ્રથમ જંગલમાં જવા લાગ્યાં. પરંતુ પછી દેહને કષ્ટ દેવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એવી માન્યતાથી ધર્મને જુસ્સો ઉભરાવા લાગે અને શરીરકષ્ટની પ્રબળ ઈચ્છા થવા લાગી. પછી શાંતિના સમયમાં પણ જંગલમાં જઈ માણસો દેહને કષ્ટવા લાગ્યાં. આ જીવનનું ચિત્ર સંત જેરેમે કલ્પનાને સુંદર લાગે એવું આપ્યું અને તેથી માણસને તેને મોહ થવા લાગ્યો. એ વર્ગની ભરતી કરાવવામાં સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ મુખ્ય હતી. પુત્રને કોઈ ઉત્તમ ધંધામાં લગાડવા પિતા જ્યારે મથતો, ત્યારે ઘણી વખત માતા તેને સન્યાસી કરવા પિતાથી બને તેટલું કરતી. ચેલા મુંડવાને સાધુઓ પણુ યુક્તિ પ્રયુક્તિ કરતા. ધર્માસન ઉપરથી ધર્મગુરૂઓ પણ તેને ઉપદેશ કરતા, અને મોટાં શહેરોની અત્યંત વિલાસ-વૃત્તિના પ્રત્યાઘાત રૂપે પણ તપવૃત્તિ આકર્ષક થવા લાગી. વળી ગમે તેવો ગામડીઓ પણ સન્યાસી હોય તે શેહેનશાહને પણ સમાગમ કરી શકો, ગુલામ કે ગુનેગાર નાસી જઈ સાધુ થાય તે નિર્ભય થતું, અને વળી સાધુઓને “નહિ વેરે નહિ વેઠ અને સુખે ભારે પેટ” જેવી સગવડતા મળતી; જંગલીઓના હુમલાથી લેકેને ત્રાસ પણ ઘણે થતો; ઇત્યાદિ અનેક કારણોને લીધે તે વૃત્તિ વધવા લાગી. વળી તપોવૃત્તિમાં ધર્મના વિચાર પણ તુરત મેળવવામાં આવ્યા અને એલિજા ઇત્યાદિના દાખલા અપાવા લાગ્યા. લગ્નોત્સવના પ્રસંગે જ ઈશુ ખ્રિસ્ત પિતાની દૈવી પ્રેરણાનો ઉપદેશ આપવો શરૂ કર્યો હતો, રાસારિક કાર્યોમાં ભળવાને હમેશાં તે તત્પર રહેતો હતો, તેથી જ તેના દુશ્મન
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy