SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની ઓલાદથી યુરેપ વ. બીજો ભાગ ઇરાન તરફ ગયે; અને મધ્ય એશિયામાં થઈ એક ત્રીજો ભાગ હિંદુસ્તાન ભણી આવી પ્રથમ પંજાબમાં વચ્ચે, અને ત્યાંથી હિંદુસ્તાનમાં પ્રસર્યો. હિંદુસ્તાનમાં તે વખતે દ્રવિડ નામની જાતના જંગલી લેકે વસતા હતા, જે મૂળે તાતાર, ટિબેટને રસ્તે થઈ મધ્ય એશિયામાંથી આવેલા મનાય છે. જેમ જેમ આ હિંદુસ્તાનમાં આગળ વધતા ગયા, તેમ તેમ આ જંગલી લેકેને તેઓ દક્ષિણ તરફ બહાંકતા ગયા. ચારથી પાંચ હજાર વર્ષ પૂર્વે હિંદમાં આવેલા આ આર્યો તે વખતે પણ સુધારામાં ઘણું આગળ વધી ગએલા હતા. આવ્યા ત્યારે જ આ આ ઉત્તમ સંસ્કાર અને વિચારે પિતાની સાથે લેતા આવ્યા હોય એમ જણાય છે; અને આ વિચારો લગભગ બે હજાર વર્ષ પર્યત વિકાસ પામતા રહ્યા છે. આ કાળ વેદકાળ કહેવાય છે, અને આપણે તે કાળને એ સંજ્ઞાથી ઓળખશું. આ સમયમાં દેશની પરિસ્થિતિ અને રીતરિવાજ વાં હતાં તે આપણે જોઈએ. શ્વેદમાં આને પ્રાર્થના કરતાં આપણે જોઈએ છીએ. સૃષ્ટિક્રમ દેને સ્થાપેલ હોય છે અને કુદરત પણ દેવની આજ્ઞા પાળતી જણાય છે. વળી ઋત કિવા સત્ય-નીતિને કાયદે પણ હોય છે અને તે માણસેએ પાળજ જોઈએ; અને જે ન પાળે તેને દેવે શિક્ષા કરે છે; આવો વિચાર મુખ્યત્વે કરીને તે સમયે પ્રચલિત હોય એમ જણાય છે. પ્રાર્થનાને માટે દેવ-મંદીરે બંધાણું નહતાં. તેથી તે સમયે તેમનામાં મૂર્તિપૂજા હોય એ વાત સંભવિત લાગતી નથી. પણ સમય જતાં બોદ્ધ ધર્મ અને જૈન ધર્મ હિંદમાં ચાલવા લાગ્યા, ત્યારે લોકોને અનુકૂળ થઈ બ્રાહ્મણોએ પણ વેદધર્મમાં મૂર્તિપૂજા દાખલ કરી હોય એમ જણાય છે. વેદકાળમાં ચા હેમાદિ અને દેવતાઓની સ્તુતિ ઘેરજ થતાં, અને સગાં સ્નેહીઓ પ્રાર્થના કરી પ્રસાદી લેતા. દેવેને પ્રાર્થના કરવાથી જ કલ્યાણ થાય છે એમ મનાતું હતું; અને કલ્યાણમાં દ્રવ્ય, ખોરાક, આયુષ્ય, આબાદી, ઢોર, ગાય,
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy