SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ 248 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પૂર્વક નીચે ખીણમાં કૂદી પડી મૃત્યુને શરણ થતા, કારણ કે ધર્મ વિરતાને એ પણ એક પ્રકાર છે એમ તેઓ માનતા. વળી ધર્મ-સુધારણ પહેલાં પાડી ગણાતા આહિબજેસે પણ ભયંકર મંદવાડની વેળાએ અપવાસ કરી અથવા નસ ખોલી મૃત્યુની ગતિને ત્વરિત કરતા હતા. મધ્યકાળમાં કેથલિકાના જુલમથી ગાંડા બની અસંખ્ય યાહુદીએ આપઘાત કરતા હતા. પરંતુ ખ્રિસ્તિ સમયમાં આત્મહત્યાની વિરુદ્ધ ધીમે ધીમે સખત કાયદા થવા લાગ્યા, અને આત્મહત્યારે પાપી ગણવા લાગ્યો. તેની મરણોત્તર ક્રિયા થતી નહિ, અને તેના આત્માના ભલાને માટે પ્રાર્થના કરવામાં આવતી નહિ. વળી મુએલાની મિલ્કત જપ્ત થવા. લાગી અને તેના શબને પણ તરેહતરેહનાં હડહડતાં અપમાન અપાવા લાગ્યાં, કારણકે સંતાનની પ્રેરણાથી આત્મહત્યા થાય છે એવું મનાતું હતું, આમાંથી કેટલાક કાયદાઓ અર્વાચીન સમયમાં ગેરવાજબી ગણાય છે. દૃષ્ટાંત તરીકે આત્મહત્યા કરનારની મિલ્કત જપ્ત કરી તેના વારસોને ભીખારી બનાવી મૂકવામાં અન્યાય સ્પષ્ટ થાય છે. તથાપિ આ કાયદાઓથી એટલી વાત તે સ્પષ્ટ થાય છે કે આત્મહત્યાથી એ વખતે કેને કમકમાટી ઉપજતી હતી અને વિચાર–સાહચર્યના બળે એ લાગણી આવા કાયદાઓથી અને રિવાજેથી દઢ થતી હતી. ઉપરાંતઆત્મહત્યા કરતી વખતે કપના રેગીષ્ટ, ઉશ્કેરાએલી અને અતિ તીવ્ર હોય છે. તે કલ્પનાને ભયગ્રસ્ત કરવાની ખાસ યોગ્યતા આવા કાયદામાં રહેલી હોય છે. આજુબાજુને વિચાર કરી કઈ માણસ ડે પેટે આત્મહત્યા કરવાની વિચિત યોજના કરે તે ધાર્મિક, સામાજીક અને કાયદાનાં પરિણામેથી તેની પાછળ રહેતા સગાંઓના દુઃખમાં બહુ વધારે થશે એ વિચારની ઘણી અસર તેના ઉપર થતી હોવી જોઈએ. આત્મહત્યા વિરુદ્ધ નિરંતર કાયદા થતા હતા તેથી એમ જણાય છે કે તે સમયે આત્મહત્યા તે ઘણીહ થશે, પરંતુ કેથોલિક ધર્મના વાડામાં ઘણા સૈકાઓ સુધી તે કવચિત જ થતી. સ્ત્રીઓએ આત્મહત્યા કર્યાના દાખલા બહુ મળી આવતા નથી, તેથી સ્ત્રીઓ આત્મ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy