SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ 233 કોન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. કરાવવાને કાયદે થવો જોઈએ. પ્રાચીન ગ્રીસમાં અને રેમના સામ્રાજ્ય સમય પર્યત ગર્ભપાતની વિરૂદ્ધ કઈ કાયદે નહોતે, અને હોય તો તે અમલમાં મુકાતે નહિ. તે સમયના અનેક લેખકે કહે છે કે એ રિવાજ પ્રસિદ્ધ અને લગભગ સાર્વત્રિક હતે. અને વ્યભિચાર અને ગરીબીનું એ પરિણામ હતું એટલું જ નહિ પરંતુ પ્રસૂતિથી શરીર–સેંદર્ય બગડી જાય છે એમ ધારી વખતે માતાઓ પણ ગર્ભપાત કરતી હતી. અને એટલા બધા ગર્ભપાત થતા હતા કે તેથી તેને માટે ખાસ ધંધો પણ જાગ્યો હતો. સેનિકા, લુટાર્ક ઇત્યાદિ લેખકે એને ગુને ગણતા હતા, પણ તે ચલાવી લેવા જેવો છે એવી એકંદરે સામાન્ય માન્યતા હતી. હવે ખ્રિસ્તિઓ છાતી ઠોકીને કહેવા લાગ્યા કે એ રિવાજ નિર્દય છે, એટલું જ નહિ પણ ગર્ભપાત એટલે ખૂન–બાળહત્યા જ. અને તેના પ્રાયશ્ચિત તરીકે એવી તે સખત સજા એ સંસ્થામાં થતી કે તેથી તે એક મેટો ગુને છે એવી અસર ખ્રિસ્તિઓના મન ઉપર સચોટ થવા લાગી. એક ગુનેગાર માતાને મૃત્યુ પર્યત પ્રભુ-ભોજનમાંથી બહિષ્કાર થયો હતે. આ સજા ધીમે ધીમે પાછળથી ઓછી થવા લાગી હતી, તથાપિ ગર્ભપાતને એક અતિ ગંભીર પ્રકારનો ગુનો સંસ્થાના શાસનમાં લેખવામાં આવતો હતો. વળી જળમાર્જનની ક્રિયા કે જે ખ્રિસ્તિઓના ધર્મ-શાસ્ત્રમાં આપણી બુદ્ધિને અત્યંત કમકમાટી ઉપજાવે એવી છે તે સિદ્ધાંતથી પણ સુધારાની બાબતને તે બહુ ટેકે મળે છે. વિધમાં કિંવા મૂર્તિપૂજકની દૃષ્ટિમાં જ્યારે ગર્ભપાત અને હત્યા ગુનારૂપ લાગતા ત્યારે પણ તેઓ તેમને નિર્જીવ ગુના ગણતા; કારણ કે પુત્ર ઉમરના મનુષ્યની હત્યા થતાં તેની કેટલી બધી આશાઓ અને ઉત્સાહ ભાંગી પડે છે તે વાત ખાસ નજરમાં રહેતી. વળી તેને શારીરિક દુઃખ પણ ઘણું થાય છે, અને તેનાં સગાં સંબંધો, મિત્રો, અને જગતને પણ વખતે ઘણું વસમું લાગે છે. આમાંથી કશું ગર્ભપાત કે બાળહત્યામાં બનતું નથી. બાળજીવન તેમને મન કઈ અગત્યનું જ નહોતું. પરંતુ ખ્રિસ્તિ ધર્મ ગુરૂઓને બાળજીવનમાં પણ ભયંકર અગત્યતા સમજાતી. તેઓ કહેતા કે ગર્ભમાં જીવ આવ્યો કે તરત જ તે અમર પ્રાણી થાય છે અને જનખ્યા પહેલાં તે મરી જાય તે પણ આદમના પાપને માટે તે જવાબદાર
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy