SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ કાસ્ટનટાઈનથી શાર્લમેન સુધી.. પિતાના મતને અનુકૂળ જૂઠ અને જાણી બુજીને કરેલું પાખંડ પણ તેઓ પુષ્કળ ચલાવી લેતા. શ્રદ્ધામાં જ સદાચાર છે; સત્તાધારીઓ જે નિગમને બતાવે તે જ ખરાં; આ તેમને નિરંતર ઉપદેશ હોવાથી મનુષ્યની બુદ્ધિમાં એવી જડતા આવી ગઈ કે તેની બેડી, ઘણું સૈકાઓ પછી જ્યારે ઇટાલીમાં ઔદ્યોગિક સંસ્થાઓના ઉદયથી શેધક, નવું નવું કહેનારી અને સ્વતંત્ર વિચાર કરવાની ટેવ લેકોમાં આવી ત્યારે જ તૂટી. કેથલિક સંપ્રદાયઅને આ સત્તા-કાળ ઇતિહાસમાં અંધકારમય યુગના નામે પ્રસિદ્ધ છે, પણ તેમાં ઉપર કહ્યું તેમ કેટલાંક સારાં તો પણ હતાં. કેન્સ્ટનટાઈન ખ્રિસ્તિ થયા પછી બારમેં વર્ષના ઈતિહાસથી આટલું તે સિદ્ધ થાય છે કે જે કે ખ્રિસ્તિ ધર્મ સદાચારનાં કેટલાંક તત્ત્વો અને સિદ્ધતિ દુનિયાને આપ્યાં છે અને તેમની છાંટ અને મિશ્રણથી સમાજના આચરણનો રંગ બદલાઈ ગયો છે, તથાપિ ગ્રીક અને કેથલિક જેવી ખ્રિસ્તિ ધર્મની શાખાઓ પિતાને રૂચે તેવા સુધારાની સ્વતંત્ર પ્રેરક થાય એ વાત જન-સમાજના કલ્યાણની ખાતર કેઈપણ રીતે ઈષ્ટ નથી. અહીં કેટલાક એમ કહે છે કે કેન્સ્ટનટાઈનના સમય પૂર્વે જ મને સંસાર ત્વરાથી ભ્રષ્ટ થવા માંડે હત; વિધર્મીઓની અધકચરાએલી રૂઢિઓ અને ચંચળતા હજી પૂરેપૂરાં નાબુદ થયાં નહોતાં; અને પાછળના જમાનાની માઠી દશાનું કારણ ઘણું ખરું તે જ હતું; વળી ખ્રિસ્તિ ધર્મને વગ ઘણુ વખત માત્ર નામનો જ અને દેખીતો જ હતો; અને જંગલીઓ સમાજને છિન્ન ભિન્ન કરી નાખતા હતા; આ બધાં કારણોને લીધે ખ્રિસ્તિ ધર્મ એ અંધકારમય યુગના નામથી પ્રસિદ્ધ જમાનામાં (અર્થાત ઈ. સ. 500 થી ઈ. સ, 1500 સુધીના કાળમાં) બહુ અસર કરી શક્યો નથી. આ દલીલમાં કાંઈક સત્ય છે એ વાત ખરી, પરંતુ બાઈકેંટાઈન રાજ્ય વિધર્મીઓની રૂઢિઓથી અને વિચારોથી મુક્ત હતું, અને હજાર વર્ષથી વધારે સમય પર્યત જંગલીઓથી છતાયું નહોતું; પશ્ચિમ રાજયમાં પણ ચડાઈઓના, સંભ શાંત પડી ગયા પછી ઓછામાં ઓછા સાતમેં વર્ષ પર્યત ખ્રિસ્તિ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy