SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 216 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. એક લેખ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. આ સંતને ખાત્રી હતી કે દુનિયાને હવે પ્રશ્ય થવા બેઠો છે. તે કહે કે દુનિયા હવે અતિ વૃદ્ધ થઈ ગઈ છે, કુદરતની શકિતઓમાંથી સત્વ લગભગ જતું રહ્યું છે, પૃથ્વીમાં રસ રહ્યો નથી અને સઘળી વસ્તુઓને નાશ સમીપ છે. ઈશ્વરની વિરૂદ્ધ બળવો કરતી પ્રજાને ચેતવણી આપવા મરકી અને દુકાળ આવે છે, મૂર્તિપૂજે કે વિશ્વાસીઓને કનડે છે, એજ દુનિયાને નાશ સૂચવે છે, કારણ કે તે વિપરીત ક્રમ છે; ઈત્યાદિ. પરંતુ પછી ચાલીશ વર્ષ દરમ્યાન પાછો ખ્રિસ્તિઓને લગભગ શાંતિને સમય હતો. એ અરસામાં ખ્રિસ્તિઓ પ્રાંતના હાકેમ નીમાતા અને તેમને બળીદાનની ક્રિયામાંથી ખાસ મુક્ત કરવામાં આવતા. બ્રિસ્તિ ધર્માધ્યક્ષોને ઘણું માન આપવામાં આવતું. રાજમહેલમાં ચાકરે પણ ખ્રિસ્તિઓ હતા અને તેમની રાજ-ભકિન વખણાતી. શહેરના દરેક ભાગમાં ખ્રિસ્તિનાં દેવળે બંધાયાં, અને માત્ર રેમમાં જ એવાં દેવળો ચાલીશ હતાં. પરંતુ ઈ. સ. 303 માં ડાકલેશિયનને અત્યંત ક્રૂર જુલમ શરૂ થયો. આ જૂથમનાં કારણે પણ આગળના જેવાં જ હતાં; તેથી તેમની પુનરૂક્તિ કરવાની જરૂર નથી. સેહેનશાહે પ્રયમ ફરમાન કાવ્યું કે ખ્રિસ્તિઓનાં દેવળો અને બાઈબલને નાશ કરે; ખ્રિસ્તિઓને કેદ કરવા, અને તેમને મારી મારીને પણ બળીદાનની ક્રિયા તેમની પાસે કરાવવી. પ્રથમ તે તેમની જીંદગીને જોખમ નહોતું. પણ પછી તે તેમને જીવતા બાળી નાખવામાં આવતા. અને શારીરિક વ્યથા અને જુલમ એ તે ત્રાસદાયક લાગતાં કે તેમની આગળ મૃત્યુ પણ દયા રૂપ ગણાતું. આ જુલમ લગભગ દશ વર્ષ ચાલુ રહ્યો. પરંતુ ઇ. સ. 313 માં કોન્સ્ટનટાઈને ખ્રિસ્તિ ધર્મ સ્વીકાર્યો અને તેથી તે રાજ-ધર્મ થશે અને ખ્રિસ્તિઓની દુર્દશાનો અંત આવ્યો. આ પ્રમાણે ઇતિહાસ તપાસતાં ખ્રિસ્તિઓ ઉપર થએલે જુલમ ખ્રિસ્તિઓને નિર્મલ કરે તેવો નહોતે એમ જણાય છે. તે પણ એક વાત લાક્ષમાં
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy