SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આ સધળાને ઉપસંહાર કરી છેવટે ગ્રંથકાર તે સમયના યુરેપની પ્રપંચ અને પાખંડ કરી રાજાઓ પિતાનું રાજ્ય વધારતા, અને તે જે હતા. રાજ નીતિમાન હોય પણ જે તે ખ્રિસ્તિ ન હોય તો તેને તેઓ વખોડતા હતા. ધીમે ધીમે ધર્મગુરૂઓનું જોર વધી પડયું અને જેમના ધર્મગુરૂઓ અને સ્વતંત્ર થઈ રાજ્યમાં વચ્ચે પડવા લાગ્યા; અને ધર્મને આશ્રય લેતાં રાજાઓના હકે દિવ્ય ગણાવા લાગ્યા. મુસલમાનોના ત્રાસને લીધે અને ધર્મભક્તિને લીધે ધર્મયુદ્ધનો જમાને આવ્યું. તેમાંથી શૌર્ય જતાં જાગીર-વ્યવસ્થા ( Feudal System) વિસ્તાર પામી. આવા સમયનો દષ્ટાંતભૂત પુરૂષ મહાન શાર્લમેન હતો. તેથી તેનું વર્ણન કરી ગ્રંથકાર આ પ્રકરણ સમાપ્ત કરે છે. - હવે આ બધાની સ્ત્રીનાં ચારિત્ર્ય અને પદવી ઉપર કેવી અસર થઈ તે છેલ્લા પ્રકરણમાં ગ્રંથકાર તપાસે છે. બાબત અગત્યની છે. પણ તેનો ઈતિહાસ લખવામાં મુશ્કેલીઓ છે. પરંતુ ઇતિહાસકારને એ બાબત હાથમાં લીધા વિના છૂટકે નથી. જંગલીઓમાં સ્ત્રીઓની દશા દયાપાત્ર હોય છે. સમય જતાં સ્ત્રીઓ વિચાતી બંધ થઈ દાયજાને રિવાજ ચાલુ થયે અને સ્ત્રીઓની પદવી સુધરતી ગઈ. વળી એક સ્ત્રી કરવાને રિવાજ પડતાં સ્ત્રીઓને મહિમા અને સુખ વધ્યાં. ગ્રીસના કવિતા-કાળમાં સ્ત્રીઓનાં સુંદર ચિત્રો આલેખાયાં છે. પણ ઐતિહાસિક કાળમાં તેમની પદવી તેથી ઉતરતી હતી. ગ્રીક લેકના ઇવનમાં સ્ત્રીઓના બે વર્ગ પડી ગયા હતા; ગૃહપત્ની અને વારાંગના. આ બન્નેનાં ચિત્ર ગ્રંથકાર ગ્રંથમાં આલેખે છે અને વારાંગનાનું સ્થાન ગ્રીક સંસારમાં શા માટે અનુચિત ગણાતું નહોતું તેનાં કારણે એ બતાવે છે.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy