SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ 202 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, - જ્યારે કોઈ રાજકર્તા કોઈ ધર્મ અથવા મતને બળથી દાબી દેવાનું કરે છે ત્યારે તેનાં કારણે ઘણાં ભિન્ન ભિન્ન હોય છે એ વાત સ્પષ્ટ છે. કવચિત તે કારણે નૈતિક હોય છે, કારણ કે તે ધર્મથી સીધી કે આડકતરી રીતે અનીતિ ઉપજતી હોય છે; કવચિત્ તેં કારણે ધાર્મિક હોય છે, કારણ કે એ ધર્મ ઈશ્વરને રચતો નથી એમ તે માનતા હોય છે; કવચિત તે કારણે રાજકીય હેય છે, કારણ કે તેથી રાજ્યને કે રાજ્યના અમલને નુકસાન થતું હોય છે; અથવા કવચિત તે કારણે ભ્રષ્ટ કે દુષ્ટ હોય છે, કારણ કે કોઈ લેભ કે વેરની વૃત્તિને સંતોષવાની તેને શ થાય છે. તેથી જ્યારે ધર્મ સંબંધી જુલમની વાત આપણે સાંભળીએ, ત્યારે આમાંથી કયા કારણ અથવા કારણોને લીધે તે જુલમ થયે છે તેને આપણે બરાબર વિચાર કરે ઘટે છે. હવે ખ્રિસ્તિ ગુરૂઓની ઉશ્કેરણીથી થએલે ધાર્મિક જુલમ બીજા જુલમ કરતાં વધારે લાંબા વખત સુધી ટકેલે છે, અને વધારે ચેકસ તથા સખત હતે. અમુક પ્રકારને ધર્મ જે પાળતા તેમના ઉપર એ જુલમને ત્રાસ થયે છે, એટલું જ નહિ પણ અમુક વિચાર જેમના હોય તેમના ઉપર પણ એ ત્રાસ વરતાલે છે. આ ધર્મ ગુરૂઓ એમ માનતા કે ખરા ધાર્મિક મતથી જ માણસની સદ્ગતિ થાય છે, તેથી ધર્મની બાબતમાં જે ભ્રાંતિ હોય તે તે પાપ છે. આથી તેઓ બ્રાંત ખ્રિસ્તિઓને સતાવવા લાગ્યા અને આ સતાવણીને લીધે મનુષ્ય-જાતને આગળ વધવામાં ઘણી અડચણ અને અટકાયત થએલી છે; અને તેમના જુલમથી લોકોને ત્રાસ પણ ઘણે થએલે છે. પિતાના ધર્મમાં અડગ આસ્થા હેવી તે ઉત્તમ પ્રતિને ધાર્મિક સદાચાર ગણતા હોવાથી, પિતાની જ ભૂલ વખતે થતી હશે તો? એવી શંકા પણ તેમને ઉપજતી નહિ; તેથી આ જુલમ તેમણે સતત્ જારી રાખ્યો. અને તેથી ધર્મની સત્તા જ્યારે ઓછી થઈ ત્યારે જ લકોને સુખ ઉપજ્યું. . વળી તેમના ધાર્મિક ગ્રંથમાંથી નીતિને એ સિદ્ધાંત ઉપસ્થિત થત હતો કે ધર્મને માટે માણસની કતલ કરવામાં પાપ નથી; અને જાસ્તી
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy