SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ *************** 18 યુરોપીય પ્રજાના આચરણનેઈતિહાસ. હતી, તેથી મુએલું માણસ જીવતું થાય તેમાં જે ચમત્કાર છે, તેમ ખ્રિસ્તિ ધર્મની આ ફતેહમાં પણ ચમત્કાર છે. ઉપલા ત્રણ મતમાંથી પ્રથમ મત વિષે ઝાઝું બેલવાની જરૂર નથી, છેલ્લાં પ્રકરણમાં તે સંબંધી બહુ કહેવાયું છે. રોમન રાજ્યના મહાન નીતિવેત્તાઓએ ખ્રિસ્તિધર્મનું નામ પણ આપ્યું નથી, અને આપ્યું છે ત્યાં તેને તિરસ્કાર જ કર્યો છે; અજ્ઞાન લેકમાં ઘણું ધી ઉભા થતા, પણ તેઓ તેમની ઉપેક્ષા કરતા; અને ખ્રિસ્તિઓના સંબંધમાં તેઓ આવ્યા હોય અગર ખ્રિસ્તિઓ ઉપર તેમણે મેહેરબાની બતાવી હોય એ કઈ કિંમતી પૂરાવો આપણને મળતું નથી. ખ્રિસ્તિધર્મની અસર તેમના ઉપર થઈ હતી એમ ધારવાનું કારણ માત્ર એટલું જ છે કે ખ્રિસ્તિઓની પેઠે તેઓ પણ આત્મનિરીક્ષણ, સાર્વત્રિક ભ્રાતૃભાવ, અને દયાને ઉપદેશ આપતા. તથાપિ આ સામનો ખુલાસે દરેક મતમાં સ્વતંત્ર રીતે થઈ શકે છે. આત્મ-નિરીક્ષણ કર્તવ્ય છે એ વાત સ્ટેઈક મતે પિયાગોરિયના ઉપદેશમાંથી ગ્રહણ કરી છે. સાર્વત્રિક ભ્રાતૃભાવને સિદ્ધાંત સમયના રાજકીય અને સામાજીક પરિ. વર્તનનું પરિણામ છે, કારણ કે તે સમયે આખી સુધરેલી આલમ રેમના રાજ્ય-છત્ર નીચે આવી હતી. વળી એંઈકમતના સર્વાત્મવાદને તે વાત અનુકૂળ હતી. પાછલા સ્ટઈકમતમાં દયાને ઉપદેશ મુખ્ય હતા એ વાત ખરી છે, પણ તેનું કારણ રમના જીવનમાં શ્રીકાન્ત પેઠું હતું તે છે. આ પ્રમાણે આ સામ્યને ખુલાસે આપી શકાય છે. સેનિકાને સંતપેલની સાથે પત્રવ્યવહાર ચાલ્યો હતો એ કારણ બતાવી મધ્યકાળના લેખકે એને ખ્રિસ્તિ માનતા. પરંતુ આ પત્રવ્યવહારને હવે બનાવટી માનવામાં આવે છે. પરંતુ સેનિકાએ ખ્રિસ્તિધર્મની ભાષા કાંઈક સાંભળી હોય એમ માનીએ તો પણ તે ધર્મથી પ્રેરાઈને પિતાને નીતિને સિદ્ધાંત એણે ર છે એ વાત ખોટી છે, કારણ કે ખ્રિસ્તિધર્મમાં ભક્તિ, દીનતા, માણસની પાપ બુદ્ધિનું અને ઈશ્વરની સર્વોત્કૃષ્ટ ભવ્યતાનું ભાન અને પારલૈકિક સૃષ્ટિને વારંવાર ઇસારે-એ વાતે મુખ્ય છે. પરંતુ સેનિકાના ઉપદેશમાં એથી ઉલટું જ છે. પારલૈકિક સૃષ્ટિને બેદરકાર રહીને અને
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy