SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ દિલાસે અને આશ્વાસન બહુ મળે છે. તેથી જ દુઃખી અને ભ્રષ્ટ માણસને એ ધર્મ વધારે મોહક થાય છે. ખ્રિસ્તિ ધર્મના પ્રસારનું આ પણ એક કારણ છે. તેથી જ મને ગુલામ-વર્ગ ખ્રિસ્તિ ધર્મમાં ભળ્યો હતો, અને તેથી પરસ્પર બનેને કેવા લાભ થયા હતા એ વાત ગ્રંથકાર બહુ સારી રીતે સમજાવે છે. હિંદુસ્તાનમાં પણ નીચલા વર્ગના લોકેજ ખ્રિસ્તિ ધર્મમાં ગયા છે અને જાય છે અને “વિશ્વાસી” ના નામથી ઓળખાય છે. અને હલકા વર્ગ (Depressed classes) ની સ્થિતિ સુધારવાની જે ચળવળ અત્યારે દેશમાં ચાલી રહી છે તે વાત પણ લક્ષમાં ઉતારવા જેવી છે. પરોપકાર અને પ્રેમજીવન ખ્રિસ્તિ ધર્મના પાયામાં રહેલા છે, અને ખ્રિસ્તિ ધર્મના આરંભ કાળમાં લગભગ બસે વર્ષ પર્યત ખ્રિસ્તિઓનાં આચરણ અતિ વિશુદ્ધ અને અનુપમ રહ્યાં હતાં. પરંતુ જેમ નદીનું વહન મૂળમાં સ્વચ્છ હોય છે, પરંતુ આગળ ચાલતાં તે વિસ્તૃત પણ અસ્વચ્છ થતું જાય છે, તેમ મહાન ચળવળના મુખ્ય ઉચ્ચ ઉદેશમાં સમય જતાં આજુબાજુના સંજોગોની અનેક અસરે ભળતી જાય છે, અને તેથી જૂદું જ સ્વરૂપ તે ધારણ કરતી જાય છે. તે પ્રમાણે ખ્રિસ્તિ ધર્મની સ્થાપના માં નૈતિક સુધારણાનાં જે આશાજનક ચિહનો જાણતાં હતાં તે સૈકાઓ પર્યત બહાર દશ્ય થયાં નહિ. તથાપિ ખ્રિસ્તિ ધર્મ જનસેવા ઘણી કરી છે, અને તેની તપાસમાં હવે ગ્રંથકાર ઉતરે છે. ખ્રિસ્તિ ધર્મની પ્રથમ અસર એ થઈ કે તેથી મનુષ્યની અંદગી પવિત્ર ગણાવા લાગી. તેથી ગર્ભપાતમાં ગુને થાય છે એવી સમજણ લેકેમાં ઉભી થઈ અને બાળહત્યામાં ઘોર પાપ સમજાવા લાગ્યું. છોકરાંઓને રખડતાં મૂકવાનો ચાલ બંધ પડે, અને તરવારના પ્રાણઘાતક ખેલ ધીમે ધીમે બંધ પડયા. વળી દેહાંત દંડની સજા સામે અણગમો ઉભો થવા લાગે અને આત્મહત્યામાં પાપ છે એવી સમજણ થતાં તે પ્રત્યે તિરસ્કાર ઉપજવા લાગે. સાર્વત્રિક ભ્રાતૃભાવનો ઉપદેશ થવા લાગ્યો એ તેની બીજી અસર થઈ. તેથી ગુલામ વર્ગને ઘણો ફાયદો થશે, અને
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy