SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 172 . યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. wwwwww કહેત કે દેવને પિતાને તે પિતાની મૂર્તિઓની આવશ્યકતા કશી નથી, પણ જન–સ્વભાવની નિર્બળતાને લીધે પિતાની ભાવનાઓને સ્થિર કરવા માટે માણસને દશ્ય ચિહ્નોની જરૂર રહે છે. તેથી દઢ ચિત્તવાળાં માણસને મૂર્તિ-પૂજા નકામી છે. આમ હોવાથી મૂર્તિઓ મનુષ્યની ઈશ્વરભાવનાનાં નિર્દોષ ચિને માત્ર છે, અને પિતાની ભાવના પ્રમાણે જુદી જુદી પ્રજામાં જુદી જુદી જાતની મૂર્તિઓ હોય છે. મિસરના લકે પ્રાણીઓને પૂજે છે, અને પારસીઓ અગ્નિને પવિત્ર માને છે. પરંતુ ગમે તે રૂપે પૂજે, પણ ઈશ્વર છે અને એકજ છે એટલું લેકે સમજે તે બસ છે. વળી ગણદેવની માન્યતા એ વખતે બહુ પ્રચલિત હતી. તત્ત્વવેત્તાઓ પણ તેમનું એ અસ્તિત્વ સ્વીકારી ખુલાસે આપવાનો પ્રયત્ન કરતા. આ મતની સ્પષ્ટતા એ યુલિયસ બહુ કરી છે. તેના મત પ્રમાણે આ દેવે કિંવાડિમને અંતરિક્ષમાં રહેતી જીવસૃષ્ટિ છે, અને આપણી પ્રાર્થનાઓ ઉપર પહોંચાડી આપણને તેઓ મદદ મેળવી આપે છે. અર્થાત્ તેઓ રાજાના મુખ્ય નેકર જેવા છે, અને દરેકને જુદાં જુદાં કામ અને ખાતાં સેપેલાં હોય છે. ઉપરાંત આ ડીમનો વળી આપણા સદાચારના સંરક્ષક અને આપણે કાયનાં નોંધનારા હોય છે, અને દરેક માણસના રક્ષક રૂપે આ એક ડિમન હોય છે અને આખી જીદગીમાં તેના સાક્ષી રૂપે એ હાજર જ રહે છે. તેથી મુઆ પછી એની સાલી ઉપર આપણ કાર્યને ઈનસાફ ત્યાં થાય છે. ધર્મ-સુધારણાના આવા આવા પ્રયાસથી ખ્રિસ્તિધર્મના એકેશ્વરવાદને માર્ગ બહુ સરળ થઈ પડ્યો. અનેકદેવવાદમાં અનેક દે પિતતાનું કામ કર્યા જતા,અને વખતે માંડ માંહે વઢતા અને મારામારી કરતા. અંતે સૈ ઈદની આજ્ઞા પાળતા થયા. એકેશ્વરવાદ પ્રમાણે એક જ ઈશ્વર આ ડીમો દ્વારા વિશ્વનું રાજ કરવા લાગે. આમ લેકેની બુદ્ધિ ઈશ્વર પ્રતિ વળતી થઈ અને ખ્રિસ્તિ ધર્મને પણ એટલું જ જોઈતું હતું. વળી તેથી એમ પણ સિદ્ધ થાય છે કે નૈતિક અને માનસિક વિકાસના પ્રાપ્ત રણને અનુરૂપ પિતાની ધર્મ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy