SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વિધમી મહારાજ્ય. . 16 ખેલમાં પણ લેકેની લાગણી સાવ બુઠ્ઠી થઈ ગઈ નહોતી. મૃત્યુનું અવલેકન કરવાને કેલિગ્યુલા ખુબ ખંતીલે હવે એ વાત લેકેને રૂચિકરે નહોતી. ચારે પાસ મનુષ્યનું લેહી પાણીની માફક વહેતું હતું; પણ તે જ સમયે એ કાયદો પણ થયું હતું કે દેર ઉપર રમતા નટે નીચે જાળી રાખ્યા વિના રમવું નહિ. આમ દયાનું ધોરણ કે નીચું હતું, તથાપિ દયાની ભાવના તદ્દન નિર્મળ થઈ ગઈ હતી. અલબત્ત, તે તુરંગી અને વિચિત્ર તે હતી. વાંચનારને હવે વિદિત થયું હશે કે રોમમાં નીતિ–શાસ્ત્રવેત્તાઓ અને જનસમૂહ વચ્ચે વિશાળ અંતર હતું. એક તરફથી સિદ્ધાંતીઓ ભવ્ય નીતિને ઉપદેશ કરતા હતા; બીજી તરફથી લેકે ભ્રષ્ટ અને લગભગ જંગલી બની ગયા હતા. સિદ્ધાંતમાં નીતિને વિકાસ થયો હતો, પણ વર્તનમાં તે સંકોચાઈ ગયો હતો. તેથી કરીને જનસમૂહ ઉપર પોતાના સિદ્ધાંતની અસર કેમ થાય? એ સવાલનું નિરાકરણ તે સમયે તત્ત્વવેત્તાઓને કરવાનું હતું. માત્ર સદાચારને અર્થ કહેવાથી અને તેની સુંદરતાના વખાણુથી લેકે સદ્દવર્તનમાં પ્રવૃત્ત થઈ જતાં નથી. રામના સ્ટઈક તત્વવેત્તાઓ આ સવાલનું નિરાકરણ કરી શકયા નહિ; છતાં તેમનાથી બન્યું તેટલું તેમણે કર્યું છે, અને રેમના ભ્રષ્ટ સમાજમાં પણ તેમના ઉપદેશની અસર થઈ છે. પ્રથમ, રેમમાં કેટલાક શહેનશાહ બહુ સારા થયા તે ઈક મતના પ્રતાપે. આ શહેનશાહના વખતમાં લેકે સુખી થતા અને નીતિને પ્રોત્સાહન મળતું અને તેમાંથી કાંઈક કાયમ પણ ટકતું. વળી ડાહ્યા માણસે સાર્વજનિક પ્રવૃત્તિમાં ભાગ લેવો જ જોઈએ એ એક મતનો આગ્રહ હોવાથી સ્વદેશાભિમાનને સજીવન કર્યા વિના એંઈક મત આબાદ થઇ શકે નહિ. તેથી રેમના ભ્રષ્ટ સમયમાં પણ સ્ટઈક મતને અનુયાયી દઢ અને હિંમતવાન જ રહે છે. તેથી કરીને ભ્રષ્ટ શહેનશાહના રાજ્યમાં પણ એમ લાગતું કે હજી બધું જતું રહ્યું નથી–સ્વતંત્રતા અને સદાચારનાં બીજ છેક નષ્ટ નથી થઈ ગયો. '
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy