SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વિધમાં મહારાજ્ય. 15 ઉડી કહેવા લાગ્યો કે એના સમયમાં બે રાજાઓનું રાજ્ય સહન થઈ શકશે. નહિ. તેથી કાં તે એ નહિ અને કાં તો જ્યુપિટર નહિ. પરિણામ એ આવ્યું કે દેવની મૂર્તિઓની માફક શહેનશાહની મૂર્તિઓ . પણ પવિત્ર ગણાવા લાગી અને તે મૂર્તિઓને જરી પણ અપમાન આપવું એ મોટો ગુને ગણુંવા લાગ્યો. તેથી ગુલામ અને ગુનેગારે હાથમાં શેહેનશાહની મૂર્તિ રાખી શેઠને કે ન્યાયાધીશને નિઃશંક બની ગાળ દેતા અને અનેક રીતે લેકેને મુસીબત પડવા લાગી. ગુપ્ત ચરે શહેનશાહની મૂર્તિને અપમાન થયાની ચાડી ચૂગલી કરતા અને લોકોને હેરાન કરતા. એવું કહેવાય છે કે શહેનશાહ ડેમિશિયનની મૂર્તિ આગળ એક સ્ત્રીએ પિતાનાં કપડાં ઉતાર્યા તેથી તેને મતની સજા કરવામાં આવી હતી. જોકે આમ કેવળ ગુલામ જેવા બની ગયા, અને શહેનશાહે નિર્ભય બની અત્યંત જૂલમ કરવા લાગ્યા. કમકમાટી ઉપજાવે એવી ક્રૂરતા, દુષ્ટ અનાચાર અને ભ્રષ્ટમેજ વિલાસમાં તેઓ પ્રવૃત્ત થવા લાગ્યા; અને તેની ઘણી માઠી અસર સમાજમાં થવા લાગી. કેટલાક શહેનશાહ બેશક ઘણું સારા હતા; પણ રાજદરબારની ભ્રષ્ટતા, ગુપ્ત દૂતાની યોજના, મેજવિલાસને અપાતું ઉત્તેજન, અનાજની મફત દેણગી અને અનેક રમતગમતને લીધે મને સાદે પણ ભવ્ય પ્રાચીન સદાચાર કદિ પાછા અસ્તિત્વમાં આવ્યો જ નહિ. સ્વતંત્રતાથી ધર્મને ઘણીવાર હાનિ થાય છે, પણ નીતિને તે ઘણું કરીને તેથી લાભ જ થાય છે; કારણ કે ઉત આમાં માણસ મશગુલ રહેવાથી દુરાચાર કરતાં તે અટકે છે. પરંતુ રોમના સાર્વભૌમ રાજ્યના કાળમાં સ્વતંત્રતાને અવકાશજ નહોતો, અને તેથી સમાજની નીતિને આધાર શહેનશાહની વર્તબુક ઉપરજ રહેતા. ગુલામગીરીની સંસ્થાનાં પરિણામ તો કદાચ તેથી પણ વધારે ગંભીર આવ્યાં હતાં. શેઠના જુલમી અને વિક્રાળ સ્વભાવને તેથી ઉત્તેજન મળતું એ તે સ્પષ્ટ વાત છે; ઉપરાંત, તેને લીધે સઘળી મહેનત કલંકિત ગણવા લાગી, અને સ્વતંત્ર ગરીબ વર્ગને હલકી પાયરીએ આણું તેમને વધારે ગરીબ એણે કર્યા. અર્વાચીન સમાજેમાં વગવાળો અને મોટો મધ્ય-વગે
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy