SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વિધમ મહારાજ્ય. 145 ને જ બેસતા ત્યાં હવે વિદેશીઓ પણ બેસવા લાગ્યા. વળી રાજ્યના વિસ્તારને લીધે ઘણા સિપાઈઓને લાંબા વખત સુધી પ્રતિમાં દૂર રહેવું પડતું અને તેથી વિદેશીય રીતરિવાજે રેમમાં દાખલ થવા લાગ્યા. વિશાળ રાજ્યની રાજધાની હેવાથી, અનેક પ્રસંગોને લઈને રેમમાં અનેક જાતનાં માણસોને મેળે થવા લાગ્યો. અને અનેક જાતની ભાષા અને વિચાર, અનેક જાતના ધર્મ-પો અને મત મતાંતર, તરેહવાર સદાચાર અને દુરાચાર, રોમમાં પ્રચાર પામવા લાગ્યાં. મુસાફરીની સગવડ વધી હતી અને અનેક મીષે રોમના લેકે મુસાફરી કરતા, અને તેમની વિલાસ-વૃત્તિને સંતોષવા અનેક માણસો વસ્તુઓ લઈ રેમમાં આવતા, કેઇના ધર્મમાં રાજ્ય વચ્ચે પડતું નહિ; તેથી દરેક ધર્મ પિતાને મત ફેલાવવાનો આગ્રહ રાખતો. મીસરના ધર્મ અને તત્ત્વદર્શનથી લેકે ઘેલા ઘેલા થઈ જવા લાગ્યા, અને ઓગસ્ટસના સમચમાં પણ હજારે યહુદીઓ રેમમાં રહેતા હતા, અને તેમની રીતભાત અને ધર્મ લેકામાં બહુ પ્રસરવા લાગ્યાં હતાં. ગુલામોના સંબંધમાં પણ મોટો ફેરફાર થતો હતો. ઘણું ગુલામ જાતે વૈદ્ય અને કારીગર હતા. કેટલાક ઉત્તમ ગ્રંથકાર પણ હતા. અણીને સમયે આ ગુલામે વૈર્ય અને નિમકહલાલી બતાવતા. આવાં કારણોને લીધે ગુલામ અને શેઠ વચ્ચે ભેદ પણ ત્વરાથી ભૂસાવા લાગ્યો. વળી વારંવાર થતી લડાઈને લીધે જોઈએ તેટલા ગુલામ મેળવવાની અડચણ આવતી નહિ, તેથી નિમકહલાલ નેકરીના બદલામાં ગુલામે ઝટ સ્વતંત્ર થઈ જતા. અનેક કારણોને લીધે શેઠ પણ પિતાના ગુલામને સ્વતંત્ર કરતા; અને છૂટા થએલા ગુલામે ઉપર અને તેમનાં છોકરાંઓ ઉપર પણ શેડને મુરબ્બીવટને હક રહેત; તેથી એકંદરે ગુલામને છૂટા કરવામાં શેઠને સ્વાર્થ પણ રહે. આવા સ્વતંત્ર થએલા ગુલામેની સંખ્યા રોમમાં ઘણી જ વધી પડી હતી. - આમ સંજોગના બળે રેમને સમય છેક બદલાઈ ગયું અને ચારેપાસ નાના મોટાને અને ઉંચ નીચનો ભેદ ભુંસાઈ જતું હતું અને સૌ સરખા છે એવી લાગણી લોકમાં ઉભી થવા લાગી હતી. પરંતુ રેમની
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy