SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ 122 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હોય, પણ પરલોકમાં પિપાંબાઈનું રાજ્ય નથી; તેથી ત્યાં તે ઘટે તે બદલે જરૂર મળશે. અને ત્યાં જે બદલે આપશે તે અહીં પણ સારા માણસની કાળજી રાખશે. હવે ધર્મની અમુક ભાવનાઓ જ્યાં દઢ રીતે મનાતી ન હોય ત્યાં આ છેલી દલીલ કામમાં આવતી નથી, અને પહેલી દલીલને આધાર સમાજની વ્યવસ્થા ઉપર છે, કારણ કે કેટલાક સમાજની એવી દશા હોય છે કે તેમાં સંપૂર્ણ સદાચારીને સુખની આશા સ્વપ્ન પણ હોતી નથી. વળી આ ઉપદેશના ગ્રહણને આધાર મોટે ભાગે ખાસ સંજોગ અને વ્યક્તિઓની પ્રકૃતિ ઉપર રહેશે, અને સિસેરેએ કહ્યું છે તેમ “એક ઉપગિતા જેને સરજાવે છે તેને નાશ બીજી ઉપયોગિતા ઘણી વાર કરે છે.” બીજું-શરીરના રેગની પેઠે દુરાચાર પણ મનને રેગ છે. તેથી મનને પણ સદાચારથી તંદુરસ્ત રાખવું જોઈએ. શરીરની તંદુરસ્તી સ ઈચ્છે છે; તે મનની તંદુરસ્તી એટલે સદાચાર સો શા માટે ન ઇચ્છે એવું ન ઈચ્છનાર જે કઈ હોય તે તેમાં તેની અજ્ઞાનતા છે માટે બાહ્ય લાભની દરકાર રાખ્યા વિના સીએ સદાચારી રહેવું જોઈએ, કારણ કે દુરાચાર જાતે જ દુઃખદ અને માનસિક વિક્ષેપ ઉપજાવે એવો છે. અર્થાત દુરાચાર મનને મંદવાડ છે; સદાચાર મનની તંદુરસ્તી છે. તંદુરસ્તી હોય તે બીજા સુખ ભોગવી શકાય છે એ વાત ખરી, પણ તંદુરસ્તી જાતે જ સુખ છે; તેમ સદાચાર જાતે જ સુખરૂપ છે અને દુરાચાર દુઃખરૂપ છે; માટે સદાચાર કરે અને દુરાચાર પરહરે. આ સિદ્ધાંત પ્લેટને હતે. ઈક લેકે એને પિતાના સિદ્ધાંતમાં ગૌણ સ્થાન આપે છે. ત્રી-સમજીને સદાચાર આચરતાં એક પ્રકારના આનંદને આવિર્ભાવ પ્રગટે છે. અને આ આવિર્ભાવમાં અને દુરાચારથી દૂર રહેતાં મનને વિક્ષેપ રહિત જે શાંતિ થાય છે તેમાં ફેર છે અર્થાત્ એ બને એક નથી, પણ ભિન્ન ભિન્ન છે. માટે માણસે સદાચારી જ થવું જોઈએ. આ ત્રણે પ્રયજનોમાં અંતે કર્તાના સુખને ઉદ્દેશ છે. પ્રથમ પ્રોજનનું સુખ બાહ્ય સંગમાં છે; બીજા અને ત્રીજાનું સુખ માનસિક દશામાં રહેલું છે.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy