SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ છે; અને સ્વાર્થ ત્યાગ કરી એક બીજાની સાથે રહી કામ કરતાં, બીકને મારતાં અને રાગદ્વેષ ઉપર દઢ કાબુ રાખતાં, શીખવે છે. સ્વદેશાભિમાનથી પણ જીવનની દૃષ્ટિમર્યાદા વિસ્તૃત થાય છે; સમાજને માટે માણસે પિતાના સ્વાર્થને ભોગ આપે છે અને આબરૂને અર્થે જીવન જીવાય છે. પિતાના દેશમાં થઈ ગએલા વીરનરેના ગુણગાનથી માણસેનાં મન ઉત્સાહી રહે છે અને દેશને માટે જાન આપવા તૈયાર થાય છે. આ બધા પ્રકારે રેમનપ્રજા કેળવાઈ ગઈ હતી, અને સ્વદેશાભિમાન તેમનામાં બહુ આગળ પડતે સદાચાર ગણાતું હતું. અને સાર્વભૌમ રાજ્યના લાંબા સમયમાં મુલ્કી અને લશ્કરી વ્યવસ્થા તેમના હાથમાં રહી હતી, જેથી રમન પ્રજા ચારિત્ર્યમાં ઉચ્ચગ્રાહી અને મગરૂર થઈ હતી. આ પ્રમાણે રેમને સદાચાર ઓંક નમુનાનું સ્વરૂપ ધારણ કરે એવા તો તે સમયના સંગમાં હતાં. અને આ તોથી ઉપજી આવતા પૂર્વવલણને દઢ કરે એવું એક બીજું તત્વ પણ તેમનામાં પ્રચલિત હતું. અને આ તત્ત્વ નીતિના ઉપદેશમાં જીવન ચરિતને જે ઉપયોગ તેઓ કરતા હતા તે છે. ખ્રિસ્તિઓ તિક આચરણમાં યહુદીઓ કે સંત જેવા અલૌકિક પુરૂષનાં દષ્ટાંતો નજરમાં રાખતા, અને તેથી તેમના સાર્વજનિક જીવનને નમુને જેમ બને તેમ નષ્ટ થઈ જતો, કારણ કે એવા પુરૂષનાં જીવને સામાન્ય મનુષ્યનાં જીવનેથી બહુ જુદા પ્રકારનાં હતાં. પરંતુ ગ્રીક અને રોમન લેકે પિતાનાજ દષ્ટાતિક સ્વદેશીઓના લૌકિક ચારિત્ર્યને દાખલે લેતા. અને તેમનું અને આ દષ્ટાંતિક સ્વદેશીઓનું નૈતિક વાતાવરણ, જીવનના ઉદેશ, આબરૂનો પ્રદેશ અને કાર્યનું ક્ષેત્ર-એ બધાં તેનાં તે જ હેવાથી, ઈતિહાસની ઉપદેશાત્મક અસર તેમના ઉપર કંઈ અલૌકિક પ્રકારની થતી. નીતિના વિષય ઉપર દરેક લખનાર, જુદા જુદા સંગમાં જાદા જાદા ઉત્તમ પુરૂષો કેવી રીતે વત્યા હતા તેનું વર્ણન કરવું એ પ. તાનું પ્રથમ કર્તવ્ય ગણતા હ; અને પિતાની મુશ્કેલીના પ્રસંગે લેકે એ ચરિત્રનો ઉપયોગ કરતા હતા અને ફલાણે ફલાણે, ફલાણું ફલાણું
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy