SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ * આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. 113 જરાએ થયે નથી. હાલના સમયમાં બેભાન કરનારી દવાની શોધથી અતિ અગત્યનો પ્રદેશ ખુલ્લે થયે છે અને શરીરની અમુક અવસ્થામાં બાહ. સૂચનથી લાગણીઓ અને મને ભાવના આખા પ્રવાહને મરછ માફક ગમે તે દિશામાં વાળી શકાય છે એ વાત હવે સિદ્ધ થવાથી માણસ જાતનું દુઃખ ઘણું ઓછું થઈ શકશે. પરંતુ મનુષ્યના ખરા સુખને આધાર આપણ સ્વભાવના શારીરિક અને નૈતિક વિભાગને અરસપરસ સંબંધ કેવો છે તેના જ્ઞાન ઉપર રહેલે છે અને તેથી નૈતિક રેગન શાસ્ત્રીય અભ્યાસ થે જોઈએ છીએ. મધ્ય સમયના સાધુઓના અપવાસ અને રકતસ્ત્રાવ, કામ ક્રોધાદિ વિકારેને શાંત કરે કે ઉત્તેજીત કરે એવાં ઔષધ, જ્ઞાનતંતુઓના રેગના ઉપચાર, ગાંડપણ અને અંડ છેદનથી થતી નૈતિક અસર, મસ્તકવિધાની છે, શરીરના વિકાસની સાથે આવતા નૈતિક ફેરફાર અને વિકાર, કયા ક્યા રેગથી માણસનું ચારિત્ર્ય બદલાઈ જાય છે અને પછી માનસિક શકિતઓ પણ રૂપાંતર પામી જાય છે તે આ બધી બાબતો તે શાસ્ત્રના વિષય છે. શરીર અને મનની એક બીજા ઉપર અસર થાય છે એ વાત તે જડવાદની વિરૂદ્ધ બોલનારાઓને પણ સ્વીકારવી પડે છે. મનના ત્વરિત ખળભળાટથી નાડી ઝડપથી ધબકવા માંડે છે અને ગાલમાં ફિકાશ કે લાલી આવે છે; અને ધાસ્તીને લીધે માણસને મરકી કે કેલેરા ન થતાં હોય તે પણ થાય છે. આમ મનની અસર શરીર ઉપર થાય છે. અને શરીરની અસર મન ઉપર થાય છે તેના તો અનેક દાખલા મળી આવે છે. આ અસર આપણા નૈતિક બંધારણના બધા ભાગ પર્યત પહોંચતી હોય છે તે પણ સંભવિત છે; અને દરેક શારીરિક કારણને અનુરૂપ કેઈને કે મને વિકાર કે મનનું ખાસ વલણ હોય તે તે બને એવી વાત છે, અને આ કારણેનું જે આપણને જ્ઞાન હોય તે શરીરના રેગની પેઠે નૈતિક રંગોની પણ ચિકિત્સા કરી તેમના ઉપચાર આપણે કરી શકીએ. આમ વ્યાવહારિક લાભ તે તેથી થાય જ; પણ ઉપરાંત શાસ્ત્રની દૃષ્ટિએ પણ તેથી લાભ જ થાય; કારણ કે આપણું નૈતિક ગુણના કારણ સંબંધ ઉપર તેથી નવું અજવાળું પડશે, આબોહવાની નૈતિક અસર
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy