SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પડે છે અને બીજીને ઔદ્યોગિક થવું પડે છે, અને તેથી અમુક અમુક જતના સદાચાર તેમનામાં સર્વોત્તમ ગણાય છે, જો કે જ્ઞાનની બાબતમાં વળી કોઈની નીતિનું તેલન કરવામાં કેટલીક ભૂલે આપણાથી થઈ ન જાય તેની આપણે ખાસ સંભાળ રાખવી ઘટે છે. જ્યાં પિતાને ખાનગી સ્વાર્થ સધાએ હોય એવી ખાનગી બાબતે કરતાં રાજકીય બાબતોમાં ઘણાખરાં માણસોની નીતિનું ધોરણ ઘણું નીચું હોય એ સંભવિત છે. ખાનગી જીવનમાં જે માણસે ખુદ નીતિના નમુના રૂપ હોય છે તે જ મા સે રાજકીય અન્યાય અને જુલમનાં મોટાં કાર્યોનાં કારણો આપી તેમની તરફ દારી કરે છે એ વાત ઘણી સામાન્ય છે; પરંતુ તેટલા ઉપરથી તે માણસે બીજી બધી બાબતમાં અન્યાયી છે એમ અનુમાન કરવું કેવળ ભૂલ ભરેલું નિકટ સંબંધ હોય છે એ વાત કરંગી છતાં ઘણીવાર સત્ય માલમ પડી આવે છે. જે પ્રજા તાબેદાર, ગરીબ અને વફાદાર હોય છે તે પ્રજાએજ કારણોને લીધે જુલમગારની ધુંસરી નીચે ચગદાયે જાય છે, અને તે પ્રજાને સમજી ગએલે હાકેમ વર્ગ ઘણે જુલમી થતા જાય છે, પણ તેટલા ઉપરથી એ હાકેમ-વર્ગ વાળી આખી પ્રજા અન્યાયી છે એમ કહેવું ભૂલ ભરેલું ગણાય. વળી કેટલાક સદાચાર કે દુરાચાર લેકેની આંખમાં તુરતજ આવી જાય એવા હોય છે, અને કેટલાક એવા હોય છેજો કે તેમની અસર તે તેટલી જ થાય છે, પણ લેકેની નજરે એકદમ ચડી જતા નથી. દાખલા તરીકે, કામ કામની વચ્ચે રહેતી કડવી લાગણી, ધર્મની ભયંકર સતાવણ, સુધારો પ્રત્યે વગર સમજ્યો ધિક્કાર, તીવ્ર ઝેર જેવી નાલાયકી અને અંકુશને અપાતે અનુદાર ટકે, પિતાના વર્ગ માટે રહેતી પ્રબળ સ્વાર્થવૃત્તિ, માનસિક અને રાજકીય વહેમોની હઠપૂર્વક થતી તરફદારી, નાનાં નાનાં કારણોને લઈને થતા છોકરવાદી પણ તરંગી ક્રૂર કજીઆ, આ બધું ધર્મની સંસ્થામાં એવું મૂકવાનું મન સ્વાભાવિક રીતે જ થાય છે; પણ તે ભુલ છે, કારણ કે તે
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy