SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું નથી, તથાપિ અવાંતરે અને રૂપાંતરે એ વાત એણે વારંવાર સમજાવી છે. સામાજીક કે રાજકીય અચંચળતાને તે મોટું સંકટ ગણે છે. તેનું તાત્પર્ય એમ જણાય છે કે માણસનાં મન એની મેળે અમુક કાળે અમુક દિશામાં પ્રવૃત્ત થાય છે; તેથી બાહ્ય સંજોગે તો કેવળ નિમિત્ત કારણ થાય છે. સંજોગોની વચમાં મનુષ્યના હૃદયમાં નૈતિક વૃત્તિ ઉઠે છે, અને તેની પ્રબળતાના પ્રમાણમાં અનુકૂળ કે પ્રતિકૂળ બાહ્ય સંજોગોને અનુસાર સંસારમાં તેની ગતિ થાય છે. ' નીતિના વિકાસમાં સંજોગોની આમ આવશ્યક્તા છતાં નીતિના અંતરમાં તેમને પ્રવેશ નથી. બીજી રીતે બોલીએ તો નીતિમાં તને સ્વીકાર છે, અને ઈચ્છા–સ્વાતંત્ર્ય વિના નીતિનું સ્વરૂપજ બનતું નથી. આ સ્વાતંત્ર્ય સમજવાને અત્ર પ્રયાસ નથી, તેમ તેનું પ્રયોજન પણ નથી. રાજ્યના કાયદા અને શાસનમાં, સમાજના પ્રચલિત રીતરિવાજ અને ધોરણમાં, માબાપ કે ગુરૂની શિક્ષામાં, વ્યવહારના અનેક વિધ પ્રસંગોમાં, ઈત્યાદિ અનેક પ્રકારે તેને સ્વીકાર થાય છે, અને જાણે કે અજાણે બાળકનું વર્તન પણ એ શક્તિના સ્વીકાર ઉપરજ થાય છે. આંતર નીતિવાદ અને બાઘુનીતિવાદના કોઈપણ પ્રકાર વચ્ચે એક ભેદ એ છે કે આંતરનીતિવાદ એ શક્તિને સ્વીકાર કરી શકે છે, પરંતુ બાહ્યનીતિવાદીના કોએ ખાસ કરીને લક્ષમાં રાખવા જેવી છે. ખરે સુધારક નીતિમાં આંતરવાદી હવે જોઈએ, કારણકે ઇચ્છા-સ્વાતંત્ર્ય વિના સુધારે બોજ અશક્ય છે. પરંતુ આંતરવાદમાં સ્વાત્માર્પણ, સ્વાર્થ ત્યાગ ઈત્યાદિ ગુણે કે જેમના વિના નીતિનું સ્વરૂપ જ બની શક્યું નથી તે ગુણે મુખ્ય છે. તેથી ખરા સુધારકમાં એ ગુણે અવશ્ય જોઈએ. અને જેનામાં એ ગુણ હોય તેજ સમાજમાં ખરા નેતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. પણ આ ગુણે શેરીએ કે કૈટે વેચાતા મળતા નથી, અને તેથીજ ખરા સુધારકે એટલા છેડા આપણે ઈતિહાસમાં જોઈએ છીએ. પરંતુ જ્યાં સુધી આવા પ્રતિભાશાળી અને નીતિમાં જાજવલ્યમાન નેતાઓ કે દેશમાં ઉત્પન્ન થાય
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy