SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 102 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. ચથી વધે છે વધારે અર્થાત આત્મ-સંયમના ભેદ કરતાં લાલચેના ભેદથી નીતિમાં વિષમતા ઘણી આવે છે એ વાત વ્યકિતઓના કરતાં સમાજના સંબધમાં વળી વધારે સાચી છે. લાલચે વધતાં જન સમુદાય જ્યાં મોટે હોય ત્યાં ભેડા ઘણું પ્રમાણમાં પણ દુરાચાર વધે જ છે. વસ્તીની અતિવૃદ્ધિ અટકાવવા માટે જાણું બુજીને કવચિત જ કોઈ પવિત્ર રહેતું હશે. શારીરિક અને નૈતિક સંકટોથી જ એ દુરાચાર અટકેલે છે; અને આ બન્ને એક બીજાનાં વિરોધી હોવાથી ઘણું કરીને એવું બને છે કે એકને ઘટાડે થતાં બીજાની વૃદ્ધિ થાય છે. આયલોડના ગામડાઓમાં બાળલગ્નને ચાલી છે પરંતુ તેથીજ કરીને તેમની સ્ત્રીઓના સદાચારનું ઉચું ધોરણ સચવાઈ રહ્યું છે, પણ તે જ વાતથી એ પ્રજામાં દીર્ધ-દષ્ટિની ખામી છે એ વાત પણ સિદ્ધ થાય છે, કારણ કે તેમની ઔદ્યોગિક આબાદી તે કારણને લીધે વધી નથી. જો એ બાબતમાં એ લોકો ઓછા પવિત્ર હોત. તે તેમની આબાદી વધારે થાત. મરીને પણ તે સદાચાર સાચવવાને તેમને આગ્રહ ન હોત તે ઓગણસમા સૈકામાં દુકાળને લીધે તેમનાં એટલાં બધાં સાણસ મરી જાત નહિ. - વળી એક બાબતમાં લેકમાન્ય સદાચારનું રણબીજી બાબતમાં પણ કેવી અસર કરે છે તે પણ આયડના દાખલામાંથી જોવા જેવું છે. ધર્મગુરૂઓને માથે કુંવારા રહેવાનું બંધન કવચિત જોખમકારક નીવડે છે એ વાત સુરેપના બીજા દેશોમાં તેમના દુરાચારના દાખલાથી સિદ્ધ થાય છે. આયર્લંડમાં કાયદાનું એવું બંધન નહિ છતાં ધર્મગુરૂઓ નિષ્કલંક રહે છે. કારણ કે તે બાબતમાં લેકેની લાગણી સખત છે. તેથી ધર્મગુરુઓ પિતાનું આચરણ શુદ્ધ ન રાખે તે તેમને જામેલે વગ લેકે ઉપર રહે નહિ. આ વાત દેશના આબોહવાથી સ્પષ્ટ થતી નથી, પણ બાળલગ્નના રિવાજથી સ્પષ્ટ થાય છે. વાંચનારને હવે વિદિત થયું હશે કે જે કે સદાચાર અને દુરાચારને તત્તવભૂત સ્વભાવ તે તેને તે જ રહે છે, પરંતુ જેમ જેમ સુધારે વધતા જાય છે તેમ તેમ, સિદ્ધાંતમાં તેની ગણના અને આચરણમાં તેની પ્રતીતિ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy