SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 90 યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. જાય છે, તેમ તેમ એમનું રહસ્ય એને સમજાતું જાય છે, અને તેથી તેમના પ્રત્યે એની દલસોજી પણ વધતી જાય છે કારણકે જ્ઞાનની વૃદ્ધિ સાથે તેની કલ્પનાની શક્તિ પણ ખીલતી જાય છે. દરેક વાત જેટલે અંશે સમજાય છે તેટલે અંશે કલ્પનાને તાદૃશ્ય થઈ શકે છે, અને આપણામાં દયા ઉપજાવવા માટે આ તાદશ્યતા આવશ્યક છે એ વાત ઉપર કહી છે. તેથી જ કરીને સુધરેલા માણસની કલ્પના કેળવાએલી હોવાથી બીજાની લાગણીઓના બારીક ભેદ એ સમજી શકે છે અને તેમને અનુકૂળ થઈ વરતે છે; વળી તેથી જ કરીને સુધારાના પ્રમાણમાં દયાની તીવ્ર લાગણી થાય છે અને નિર્દયતાથી હૃદયને કમકમાટી આવે છે. આમ શુભેચ્છા અને કલ્પનાને આ સંબંધ છે. પણ નિર્દયતા બે પ્રકારની થાય છે અને દરેકનાં કારણ અને પરિણામ એકબીજાથી ભિન્ન હોય છે. એક પ્રકારની નિર્દયતામાં હદય કેવળ કોર અને જંગલી હોય છે; અર્થાત આવા પ્રકારના નિર્દય માણસને ક૯૫નાની કેળવણી મળી નથી હોતી; પણ જે મળી હોય તે નિર્દય એ નહિ થાય. બીજા પ્રકારની નિર્દયતામાં હૃદય ઝેરીલું અને કિન્નાખોર હોય છે. આ પ્રકારના માણસની કલ્પના કેળવાએલી હોય છે અને નિર્દયતામાં એને ખાસ મજા આવે છે. પ્રથમ પંક્તિને માણસ દીલને સખત, મૂર્ખ અને કાંઈક ગાફેલ સ્વભાવને હેય છે, અને તે પ્રકારની ક્રૂરતા બળવાન, વિજયી પ્રજા અને સમશીતોષ્ણ દેશમાં ઘણું કરીને વધારે દેખાય છે. આવી નિર્દયતાનું મોટે ભાગે કારણ એ હોય છે કે તેવા માણસને આગલાના દુઃખની તાદૃશ્ય કલ્પના થતી નથી. બીજી જાતની ક્રરતામાં કાંઈક બાયલાપણું રહેલું છે અને જુલમને ભેગા થઈ પડેલી પ્રજામાં, ગરમ દેશોમાં અને તામસી પ્રકૃતિનાં મનુષ્યોમાં સામાન્ય રીતે એ જોવામાં આવે છે. અતિશય ઝેર અને કિન્નાની સાથે ઘણીવાર અતિશય કમળતા પણ રહેલી હોય છે, અને અતિશય કઠોરતાની સાથે મનની અતિશય મોટાઈ પણ ઘણીવાર હોય છે; પરંતુ કિન્નાખોર સ્વભાવમાં મનની મેટાઈ અને કઠોર જિંગલી સ્વભાવમાં કમળતા, કવચિત જ હોય છે. પ્રાચીન રેમન લેકમાં
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy