SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતહાસ. એક મટી બીજું કયારે થઈ જાય છે તે સ્પષ્ટ કરવું અશક્ય છે. મનુષ્યનું જે જીવન કુદરતે નિર્મિત કર્યું છે તેને સર્વ પાસા સરખે વિકાસ કરે એ મનુષ્યના જીવનને ઉદ્દેશ છે અને આને અર્થ એટલે જ થાય છે કે તેના જીવનને મુખ્ય અને સર્વોત્તમ હેતુ નૈતિક હો જોઈએ. જે સમાજ કે માણસમાં આ નૈતિક હેતુની પ્રબળતા ન હોય, તે રોગી હાલતમાં છે નૈતિક અંશનું સર્વોપરીપણું છે કે બીનતકરારી છે, પણ સાથે સાથે તે મોઘમ કિંવા અનિશ્ચિત પણ છે અને દેશ કે કાળ પર અનંત નથી: અને તેથી કરીને પ્રચલિત ધોરણ સર્વકાળે સરખું હોતું નથી. નીતિશાસ્ત્રવેત્તા તે માત્ર સામાન્ય સિદ્ધાંતો જ આપી શકે છે. આ નિયમોને વ્યવહારમાં કેમ લગાડવા એ વાત તે વ્યક્તિગત વૃત્તિ કે સમાજની સામાન્ય ભાવનાથી જ બની શકે છે. આ પ્રમાણે આંતરવાદમાં એક પ્રકારની મઘમતા રહેલી છે. જનહિતવાદીઓ કહે છે કે અમારા વધારેમાં વધારે સુખના સિદ્ધાંતમાં એવી અનિશ્ચિતતા નથી, પણ “વાજબી " “ગેરવાજબી વચ્ચે હમેશાં સ્પષ્ટ લીટી દોરી શકાય છે અને તેથી નૈતિક મતભેદ લાગણના રાજમાંથી નીકળી સ્પષ્ટ ઉપપત્તિના વિષય થાય છે. પરંતુ એમ બેલવામાં જનહિતવાદીઓ લોકેને ઠગે જ છે. નાણાની મદદ વડે કાપડ, ઘોડા ઇત્યાદિ વિજાતીય વસ્તુઓની લેવડ દેવડ આપણે કરી શકીએ છીએ, કારણ કે નાણા વડે તેમના વિનિમયનું માપ થઈ શકે છે. પરંતુ સુખ કે ઉપગિતાના વિજાતીય પ્રકારનું એવું સામાન્ય માપ આપણને મળી શકે એમ નથી. એક દષ્ટાંત લઈએ. પાલીતાણે શેત્રુંજાની જાત્રા નિમિત્તે હજારે લેક વર્ષોવર્ષ ભેગા થાય છે. હવે આ મેળાથી એકંદરે લાભ વધારે છે કે હાનિ ? અને નીતિમાન માણસે તેને ઉત્તેજન આપવું કે કેમ ? એ પ્રશ્નનું નિરાકરણ જનહિતવાદ કેવી રીતે કરી આપશે ? હજારે લેકોને તેથી નિર્દોષ અને આરોગ્યવર્ધક આનંદ થાય છે. જૂદા જૂદા કેના સમાગમથી અનુભવ અને જ્ઞાન વધે છે. સ્થાનિક આર્થિક સંપત્તિને પ્રોત્સાહન મળે છે
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy