SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ wwwww આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. 69 સ્થિતિએ પહોંચ્યું હતું. એક સ્ત્રીને રીવાજ દઢ સ્થાપિત થયે હતે. સ્ત્રીઓને સદાચાર ઘણો ઉચો થયો હતો. પરંતુ પુરૂષોમાં જે કે સૃષ્ટિ વ્યભિચાર ભૂલરૂપે પણ ગણતે નહિ. કેથલિક ધર્મમાં, પ્રજાની ઉત્પત્તિ અર્થ, અને મનુષ્યના સ્વભાવમાં રહેલી નિર્બળતાને કાંઈક છૂટ આપવી જોઈએ માટે, લગ્નને વાજબી ગયું છે. પણ તે સિવાય સવળી જાતની કામ-વૃત્તિની સખત અને સાફ મના કરી છે. આ પ્રમાણે કામ-વૃત્તિને દબાવી દેવાની ઉત્કંઠામાં અને યથેચ્છ. વિહારમાં તેને કેટલી છૂટ આપવી તે બાબતમાં જમાને જમાને ઘણે ફેર માલમ પડી આવે છે, પણ તે સંબંધી સદાચારની ઊર્મિમાં કશે ફેર પડતો નથી. વળી વ્યભિચારમાં અને પ્રજાની ઉત્પત્તિમાં સ્વાર્થ અને ઉપયોગિતાના પ્રશ્ન બેશક વચમાં આવે છે, પરંતુ સામાન્ય ઉન્નતિને આધાર તે કેવળ જૂદી જ જાતના વિચાર ઉપર રહેલો છે એવું ભાન આપણને થાય છે. કામ-વૃત્તિની તૃપ્તિ ગમે તેટલી હકદાર અને વાજબી હોય છતાં તે ગુપ્ત રાખવાની વસ્તુ છે એવી ભાવના ગમે તેટલી ઘસાઈ ગએલી છતાં કોઈમાં તદન નાબુદ થએલી કદિ હોતી નથી; એવી વાત જાહેરમાં કરતાં માણસને લાજ અને શરમ આવે છે; અને નિલ જજ શબ્દો બોલતાં માણસ શરમાય છે; ઇત્યાદિ હકીકતોથી એમ જ સિદ્ધ થાય છે કે આ કામ-વૃત્તિમાં કાંઇક નીચતા રહેલી છે એ વાત આપણને અંતરમાં પ્રત્યક્ષ અને સ્વભાવ સિદ્ધ છે. કાંઈક એમાં એવું છે કે જેની આપણને સ્વાભાવિક રીતે જ શરમ આવે છે; આપણી સંપૂર્ણ વિશુદ્ધિને આંચકો લાગે એવું તેમાં કાંઈક રહેલું છે, અને અતિ પવિત્ર જીવનમાં એ તત્ત્વ હેવું આપણને અનુચિત લાગે છે. આવી લાગણી કેાઈ પણ માણસમાં કામુકી ન હેવી સંભવિત નથી; અને દુરાગ્રહી જનહિતવાદી વિના બીજું કે એનું રૂપાંતર માત્ર સ્વાર્થ-- ની ગણત્રીમાં કરી નાખતું નથી. મનુષ્યની ઉન્નતિના ક્રમમાં આ લાગણી કિવા પ્રેરણું જ બીજરૂપ છે; અને તેને લીધે જ સંપૂર્ણ વિશુદ્ધિની પવિ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy