SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ પ્રથમ તો ઘણી બાબતોમાં નૈતિક અભિપ્રાયની વિવિધતા કેવળ બુદ્ધિવિષયક કારણોને લીધે ઉપજેલી છે, નૈતિક કારણોને લીધે નહિ. દાખલા તરીકે, વ્યાજે નાણું ધીરવું એ કુદરતના કાયદાથી વિરૂદ્ધ અને સ્પષ્ટ રીતે જુલમકારક છે એમ જ્યારે ધર્માચાર્યો કહેતા હતા ત્યારે નાણાના ઉપયોગના ખોટા વિચારમાંથી એ વાત જન્મી હતી એ સ્પષ્ટ છે. નાણું વંધ્ય વસ્તુ છે, અને ઉછીતી લીધેલી રકમ પૂરેપૂરી પાછી આપી એટલે દેણદારે લીધે સઘળે લાભ ખતમ થઈ ગયો એમ તે માનતા હતા. વળી તે સમયમાં વ્યાજનો દર એટલે બધો આકરો હતો કે ગરીબ લેકેને તે જુલમરૂપ લાગતો હતો. પરંતુ અર્વાચીન અર્થશાસ્ત્ર આ ભૂલ અને ભ્રમઃ દૂર કર્યો છે. પૈસો ઉત્પાદક વસ્તુ છે અને વ્યાજે નાણું લઈ માણસ તેમાંથી એવા લાભ લઈ શકે છે કે દે ભર્યા પછી પણ તે લાભ જારી રહે છે એ વાત જેમ જેમ સમજાતી ગઈ તેમ તેમ વ્યાજ લેવામાં અન્યાય ગર્ભપાતના ગુના વિષે પણ અન્ય કારણને લીધે માણસેના વિચાર બદલાતા ગયા છે. માણસનું ખૂન કરવામાં બેશક પાપ છે. પરંતુ ગર્ભસ્થાનમાં પણ બાળક તે અવસ્થામાં સજીવ ક્યારે ગણાય તે બાબતમાં બહુ મતભેદ જણાય છે. પ્રાચીન કાળમાં એકંદરે એવો અભિપ્રાય પ્રચલિત હતો કે ગુમડાની પેઠે ગર્ભ પણ તેની માતાના શરીરનો એક ભાગ માત્ર છે અને તેથી બનેને અળગાં કરી નાખવા તેને હક છે. પ્લેટ અને એરિસ્ટટલ બની એ વિચારમાં સંમતિ હતી. અલ્પિયનના સમયપર્યત રેમના લોકોમાં પણ ગર્ભપાતની સામે કાયદો નહોતો. શ્વાસની ક્રિયા જ્યારથી થવા લાગે ત્યારથી જ બાળક જીવતું ગણુય એમ સ્ટેઈક મતવાળા માનતા હતા. ગર્ભાધાન પછી ચાળીશ દિવસે બાળકમાં પ્રાણ આબે ગણવે એમ જસ્ટિનિયનના ધારામાં નક્કી કર્યું હતું. અર્વાચીન કાયદામાં ગર્ભાધાનના સમયથી જ ગર્ભપાતમાં ગુને ગણાવા લાગે. આવી બાબતોને નિશ્ચય કરે એ નૈતિક વૃત્તિઓને વિષય નથી એ વાત પણ છે.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy