SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ 53 ફેર હોય છે. પિતાના સંજોગના બળે પ્રજાનાં ધારણ બંધાય છે અને વિચારમાં ફેર પડે છે અને અમુક બાબતમાં રીત રીવાજે એવા દઢ બંધાઈ જાય છે કે નાની અને નજીવી બાબતોમાં પણ તેમની અસરમાંથી મુક્ત થવું મુશ્કેલ થઈ પડે છે. ગેરપૂજા કરીને આવતી કન્યાનું ચિત્રિત કપાળ જોઈને યુરોપવાસીને કદાચ હસવું આવશે. કેટલાક કહે છે કે સૌંદર્ય, ભવ્યતા કે રસિક વૃત્તિને નામે ઉપજતા કોઈ પણ મનોભાવથી માણસ માત્ર આનંદજનક વિચારમાં મસ્ત રહે છે પણ તેથી કાર્યમાં પ્રવૃત્તિ થતી નથી, પરંતુ નૈતિક મનેભાવથી તે કાર્યમાં પ્રવૃત્તિ થાય છે એ તે બેમાં મેટે ભેદ છે. પણ આ દલીલ બની છે; કારણ કે સેંદર્યના ભાનમાં પણ પસંદગી કરવાની શક્તિ રહેલી છે, અને અન્ય બળની ગેરહાજરીમાં એ કાર્યમાં પ્રવૃત્તિ થાય છે. નરસું કોઈને ગમતું નથી; અને ભાડું આપવાની શક્તિ હોય તે નઠારું ઘર કઈ ભાડે રાખતું નથી. નીતિ અને સૈદયના ભાનને અનુરૂપ વર્તન માણસો કરતાં ન હોય તો તેનાં અન્ય કારણ હોય છે. ખરી વાત છે કે ઉપયોગિતાના. વિચારથી દેરવાઈ વખતે સુંદરતાનો ભોગ આપણે આપીએ છીએ, પણ નીતિનો ભોગ તેવી સહેલાઇથી આપણે આપતા નથી; ઢંગધડા વિનાનું ઘર બાંધવાની માણસ કદાચ હા પાડશે, પણ ગેરઆબરૂનું કામ કરવાની તે ના પાડશે. છતાં દુઃખની લાગણી થયા વિના સુંદર વસ્તુ મૂકીને વિરૂપ વસ્તુ જાણું જોઈને કોઈ પસંદ કરતું નથી, અને હાર્ટલી આવા પ્રકારના દુઃખને જ મનદેવતાનું નામ આપે છે અને કોઈ માણસમાં સુંદરતાનું ભાન કદિ એવું પણ પ્રબળ હોય કે જીવ જાય તો પણ એ ભાનથી વિરૂદ્ધ એ નહિ વરતે. બન્ને વચ્ચે આવું સામ્ય હોવાથી નીતિને કેટલાક લેખકે સદને. ઉચામાં ઉંચો પ્રકાર માત્ર લેખે છે. અને રસજ્ઞતાની કેળવણીને નીતિની કેળવણું ગણે છે. હવે આ સિદ્ધાંત છે કે જનહિતવાદ કરતાં સારો છે. તથાપિ બે વાતને લીધે એ પણ યથાર્થ નથી. પ્રથમ તો દયા, શ્રદ્ધા, ભકિત ઈત્યાદિ સદાચાર પ્રત્યે “સુંદર શબ્દનો પ્રયોગ જેવો યથાર્થ લાગે
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy