SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ઉપર કહ્યા પ્રમાણે નાયર લેકની વિશિષ્ટ પ્રકારની સ્વતંત્ર રાજ્યવ્યવસ્થા ઘણું સૈકા સુધી મલબારમાં ચાલુ હતી. જેમ જેમ નવા નવા લેકે ત્યાં આવતા ગયા તેમ તેમને આ વ્યવસ્થામાં સમાવેશ થતે ગયે, અને તેમને કેટલાક હક પ્રાપ્ત થયા. યાહૂદી અને ખિસ્તી લેકો આ પ્રાંતમાં આવી વસ્યા અને તેમની મહત્તા વધી એટલે તેમને પણ રાજાએ કેટલાક વિશિષ્ટ હકની સનદ કરી આપી. આવી ત્રણ સનદે કોતરી કહાડેલા અક્ષરે મલ્યાળી ભાષામાં લખેલી મળી આવી છે. તેના ખરાપણું વિશે સંશય લેવાનું કંઈ કારણ ન હોવાથી તે કાળની રાજ્યપદ્ધતિની ઘણી હકીકત તે ઉપરથી આપણને મળે છે. એ સનદે નીચે પ્રમાણે છે: 1. સનદ પહેલી ( ઈ. સ. 700 )–ભાસ્કર રવિવર્મા નામના રાજાએ આપેલી. 2. સનદ બીજી (ઈ. સ. ૭૭૪)–વીરરાઘવ ચક્રવર્તીએ આપેલી. 3. સનદ ત્રીજી (ઈ. સ. ૮૨૪)–સ્થાવિગુપ્ત રાજાએ આપેલી. આ ત્રણે સનદોનો લેખ વિદ્વાનોએ ઉકેલી તેને અર્થ બેસાડે છે તે ઉપરથી માલમ પડે છે કે પહેલી સનદથી યાહુદી લેકેને કેટલાક હક આપવામાં આવ્યા હતા, બીજીની રૂએ ઉત્તર તરફના ખ્રિસ્તીઓને તથા ત્રીજી અન્વય દક્ષિણ તરફના ખ્રિસ્તીઓને હક બક્ષવામાં આવ્યા હતા. માર પાર નામનો એક ખ્રિસ્તી પ્રહસ્થ ઈ. સ. 822 માં બેબીલેનથી હિંદુસ્તાનમાં કલમ શહેરમાં આવ્યો હતો, તેણે ત્યાંના સ્થાનિક અમલદારેની મારફતે મલબારમાંના પિતાના ધર્મબાંધની હકીકત મેળવી. એ હકીકતને આપણા ઈતિહાસ સાથે કંઈ સંબંધ નથી. ઉપરની ત્રીજી સનદમાં જમરૂવામાં સાપીર ઇસ'નું નામ આવે છે તે અને આ માર સેપાર એકજ હોવો જોઈએ. આ લેખ ઉપરથી ચેર અથવા કેરલ પ્રાંતની હદ સામાન્ય રીતે કૅલિટથી કલમ સુધી હશે એવું જણાય છે. મનમાં રાજાનાં નામો છે તે કદાચ ત્યાંના પિરૂમાલ રાજાનાં હશે. એ ઉપરથી વળી એવું પણ અનુમાન થઈ શકે છે કે તેઓ બહુધા કેકણમાંના મર્યવંશી રાજાઓ હશે. પ્રત્યેક સનદ ઉપર જે જે ભાગમાંના હક તેની રૂએ આપ
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy