SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 545 દસ્તક બતાવતાં અધિકારી તે માલ બીનજકાતે જવા દેતે. ધીમે ધીમે આ અનિષ્ટ પ્રકાર એટલે હદ સુધી વધ્યો કે કેટલાક બનાવટી દસ્તકે રજુ થવા લાગ્યા. આથી દેશીઓને સઘળે વેપાર નાશ પામે, અને બંગાળાનું ઉત્પન્ન છેકજ ઘટી ગયું. આ હકીકત માટે નવાબે અંગ્રેજોના કાન ઉઘાડવા ઘણું પ્રયત્ન કર્યા પણ સઘળું નિષ્ફળ ગયું. આ જકાત માફીના સંબંધમાં કંઈ પણ તકરાર થતી તે નવાબના અધિકારીઓને થંડી ઘણું લાંચ આપી અંગ્રેજે પિતાનું કામ કર્યા જતા. આ યુક્તિને તેમણે ડગલે ડગલે ઉપયોગ કર્યો છે, એમ કંપનીને તે વેળાને પત્રવ્યવહાર સાક્ષી પુરે છે. હુગલીને કેજદાર, ઢાકાને નાયબ તથા ખુદ સુબેદારની ગાદીને ભવિષ્યને હકદાર એ સઘળાને વખતેવખત સંતુષ્ટ કરી કંપનીના વેપારીઓ પોતાને નિભાવ કરી લેતા. વખતના કહેવા સાથે આ અનીતિ અતિશય વધી ગઈ અલિવદખાન નવાબપદ ઉપર હતું ત્યાં સુધી આ કંટાએ ઉગ્રરૂપ ધારણ કર્યું નહીં. તે ચાલાક હોવાથી તુરતાતુરત સર્વ ટંટાને ગ્ય નિકાલ કરતે, પણ લાંચખાઉ કામદારો ઉપર આધાર રાખી સ્વસ્થ બેસતે નહીં. અંગ્રેજોની ભૂલ સાબીત થાય છે તે તેમને શિક્ષા કરવાને વિલંબ કરતે નહીં. એમ છતાં મરાઠાઓ સાથે લડવામાં તેને ઘણેખરે વખત વ્યય થવાથી અંગ્રેજોની સાથેની તકરારને કંઈ પણ આખર નિકાલ તે કરી શક્યો નહીં. અંગ્રેજ વેપારીને દસ્તકને દુરૂપયોગ કરી ધીમે ધીમે પોતાની સત્તા વધારતે જોઈ તેને ઘણે ઉદ્વેગ થયે હતે. મી. હૈāલ કહે છે કે, મરણ સમયે તેણે પિતાના પાત્રને છેવટને સંદેશો એ કહ્યું હતું કે, “આ અંગ્રેજોની લશ્કરી શક્તિ ગમે તેમ કરી તમારે તેડવી.” અંગ્રેજોની આ લશ્કરી શક્તિ ધીરે ધીરે વધતી ગઈ હતી. શરૂઆત માં વખાર તથા ત્યાંના માલની સંભાળ લેવા માટે તેમણે ચેડાં થીઆરબંધ માણસો મુક્યાં. પ્રસંગોપાત એક નાની હથીઆરબંધ ટુકડી તેઓએ ઉભી કરી. પાછળથી ચાલેલી ધામધુમના વખતમાં નવાબને અંગ્રેજોનું સંરક્ષણ કરવાનું કઠણ લાગ્યાથી તેમને સ્વરક્ષણ માટે લશ્કરી બંદોબસ્ત
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy