SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 20 મું.] સુરજ-ઉદ-દૌલા અને બંગાળા. 543 રાજ્યમાં ચાલેલી ગેરરીતીને પરિણામે પરદેશી વેપારીઓ ઉપર જુલમ થવા માંડ્યા, ત્યારે અંગ્રેજોએ પિતાના બે વકીલ ન સર્મન (John Surman) અને કોગી સરહૌડ (Cogee Serhoud)ને સને 1715 માં દિલ્હીમાં ફરૂખશીઅર બાદશાહ પાસે મોકલ્યા. અંગ્રેજ વેપાર માટે જાથકની યોગ્ય વ્યવસ્થા કરાવી લેવાને તેમને હુકમ હતું. આ પ્રયત્ન ફોહમંદ થતાં મેગલ રાજ્યમાં અંગ્રેજોને કેટલીક સરતે બાદશાહે હમેશ માટે જકાતની માફી કરી આપી. જકાત માફીના આ પહેલા ફરમાનને હેતુ એ હતું કે, “અંગ્રેજોએ સુરતમાં કોઠી ઘાલી ત્યારથી કઈ વેળા સાડાત્રણ ટકા, કેાઈ વેળા અઢી ટકા અને કઈ વેળા ત્રણ ટકા પ્રમાણે જકાત જુદા જુદા બાદશાહે તેમના ઉપર નાંખી હતી. સ્થાનિક અમલદારોના ત્રાસને લીધે તેઓએ સુરતની વખાર આજ ત્રણ વર્ષ થયાં બંધ કરી છે. બહાર અને ઓરિસા પ્રાંતમાં તેમને જકાત આપવી પડતી નથી. બંગાળામાં દરસાલ તેઓ ત્રણ હજારની રકમ ઉધડ આપે છે. આવો ભિન્ન પ્રકાર બંધ કરી પિતાની પાસેથી એક ઠરાવેલી રકમ લઈ આખા રાજ્યમાં એક સામાન્ય કાયદે ઠરાવી આપવાની અંગ્રેજોની માગણી છે. સબબ એવું ઠરાવવામાં આવે છે કે સુરતમાં તેમની પાસેથી પેશકશ તરીકે દસ હજાર રૂપિઆ લેવા, અને તેમને મરછમાં આવે ત્યાં જકાત ભર્યા સિવાય વેપાર કરવાની સંપૂર્ણ છૂટ આપવી. નવી વખાર ઉઘાડવામાં તથા માલની ખરીદી અને વેચાણ કરવામાં રાજ્યના અધિકારીઓએ તેમને મદદ કરવી; ચેરી થાય તે ચોરેને પકડી શિક્ષા માં તેમને કોઈએ હેરાન ન કરતાં, યોગ્ય વ્યવહાર ચાલ્યો હોય તેમ નિકાલ કરે; વિના કારણે જુલમ કરે નહીં. આ ફરમાનની એકજ પ્રત તેમની પાસે હોવાથી તેની નકલ નિરનિરાળે ઠેકાણે તેઓ બતાવે તે અમારા અધિકારીઓએ માન્ય કરવી. અંગ્રેજોમાંના કોઈએ કંઈ ઉશ્કેરણી કરવા માટે તેને પરભારી શિક્ષા નહીં કરતાં તે ઠેકાણુના મુખ્ય અંગ્રેજ
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy