SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ 508 [ ભાગ 3 જે. હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. પ્રકરણ 19 મું. કર્નાટકમાં ત્રીજું યુદ્ધ.. સને 1756-63. 1. વિજયદુર્ગ કિલ્લાનું સર થવું. 2. બુસી, નિઝામ અને ઉત્તર સરકાર પ્રાંત. 3. કાઉન્ટલાલીનું આગમન અને તેની અડચણે.૪. લાલી અને અંગ્રેજો વચ્ચે સંગ્રામ. 5. લાલીના અપયશનું અવેલેક્સ. 6. કેન્યની પડતી ઉપર વિવેચત. 1. વિજયદુર્ગ કિલ્લાનું સર થવું (સને ૧૭પ૬ )–સતારામાં શાહૂ મહારાજ ગાદીએ આવ્યો ત્યારથી રાજ્યમાં બે પક્ષ પડી ગયા હતા એક શાને અને બીજો તારા બાઈને. ઘણાખરા મરાઠા સરદારે આ બે પક્ષમાંના ગમે તે એકમાં જોડાઈ ગયા હતા. શાહુને મુખ્ય આધાર પેશ્વાનો હતો, તેમ તારાબાઈને મુખ્ય ટેકે ગ્રેન હતું, અને તેથી જ પેશ્વા અને અંગ્રે વચ્ચે સુમારે પચાસ વર્ષ સુધી એક સરખો વેરભાવ ચાલ્યો હતો. શાહના મરણ બાદ રાજ્યની સર્વ સત્તા પેશ્વાના હાથમાં જવાથી તારાબાઈના પક્ષને વધારે ઝનુન ચડ્યું. આ પક્ષને એકવાર તોડવાથી, મહારાષ્ટ્રમાં પિતાને પાયે મજબુત થતાં હિંદુસ્તાનમાં રાજ્ય વિસ્તારવાને મનોરથ ફળીભૂત કરવાનું ઠીક ફાવશે એમ પેશ્વાને લાગવાથી તેણે અગ્રેને પરાજય કરવા સારૂં સને 1756 માં એક લશ્કર રવાના કર્યું. ખરું જોતાં આંચે મરાઠી આરમારને મુખ્ય અધિકારી હતી અને દરીઆવધ ખાતામાં તેનું માન વિશેષ હતું. આરઓના કાફલાને પિડુગીઝ લોકોએ નાશ કર્યા પછી, હિંદુસ્તાનમાં કાફલાની સત્તા કાયમ રાખવા માટે જે કંઈ પણ શરવીર પુરૂષો બહાર પડ્યા હોય તે તે આ આંગ્રેજ હતા. મરાઠી કાફલા ઉપર અગ્રેની નિમણુક છત્રપતિ શિવાજીએ કરી હતી, અને મરાઠી રાજ્યમાં આગળ જતાં કુટુંબ કલેશ ઉત્પન્ન થયે ન હોત, અને મરાઠાઓએ પિતાના આરમારની શક્તિ અબાધિત રાખવાની તજવીજ કરી હત, તે અંગેની મારફત પાશ્ચાત્ય પ્રજાઓને કદાચિત વખતસર અટકાવ થઈ શક્યો હોત,
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy