SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 34 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આપી. હિંદુસ્તાનમાં જુદાં જુદાં શહેર તથા માલની હકીક્ત આરબ લેકેએ ખાસ મેળવી લીધી હતી. તે સમયે હિંદુઓનું જ્યોતિશશાસ્ત્ર એવી પ્રિઢ સ્થિતિમાં હતું કે તેમાં હિંદુઓની ભાગ્યે જ કોઈ બરાબરી કરી શકતું. તે શાસ્ત્ર તેમજ ગણીત શાસ્ત્ર પણ આરબ લેકેજ આ દેશની બહાર લઈ ગયા. જેમ ઈરાનના મુસલમાને વેપારમાં અગ્રણી હતા તેમ ત્યાંના ખ્રિસ્તી લેકે કંઈ પાછળ પડેલા નહોતા. નેસ્ટેરીઅન ખ્રિસ્તી પંથે ઈરાનમાં ઘણે ફેલા હતા, અને તેની શાખાઓ હિંદુસ્તાનના દક્ષિણ ભાગમાં તેમજ સિલેનમાં સ્થપાઈ હતી. આરબ ખલાસીની મદદ વડે આ પંથને પ્રસાર થતજ ચાલ્યો અને છેક ચીનમાં પણ તેના અનુયાયીઓની સંખ્યા વધતી ચાલી હતી. નેટોરીઅન પંથનું મૂળ સ્થાન ઈરાનમાં હોવાથી ત્યાંને ધર્મગુરૂ સર્વ ઠેકાણે પાદરીઓ મોકલતા હતા. પરંતુ આરબોના વખતમાં યુરોપિઅનોને આ તરફ આવવાની બંધી થઈ. મિસર દેશ મુસલમાનના તાબામાં આવ્યું એટલે એલેકઝાન્ડીઆના બંદરમાં ગ્રીક વગેરે અન્ય રાજ્યની પ્રજાને દાખલ થવાની મનાઈ થઈ અને તેઓને પૂર્વ તરફને માલ મળતો અટકી પડ્યો. આમ થવાથી ચીનમાંથી કાસ્પિઅન સમુદ્ર સુધી માલ લાવવાને ઉત્તરને રસ્તો વધારે ઉપયોગમાં આવ્યું. પણ આ રસ્તો ઘણે પહાડી તથા લાંબે હેવાથી ઘણે થોડે અને મૂક્ષવાન માલજ માત્ર ત્યાંથી જ. એ માલ કાળા સમુદ્રમાંથી કૅર્સ્ટન્ટીને પલમાં આવતે. આવી રીતે મુસલમાનેએ ખ્રિસ્તી રાજ્યને યુરોપમાં ઘેરી લેવાનું પરિણામ ઘણું ઝનુની આવ્યા વગર રહ્યું નહીં. મુસલમાનેએ ભૂમધ્ય સમુદ્રમાંથી સંચરી આફ્રિકાને ઉત્તર કિનારે કબજે કર્યો, પશ્ચિમે પોર્ટુગલ તથા પેન હસ્તગત કયાં, અને પૂર્વે સિસિલી બેટ લગી પહોંચ્યા. આ સર્વ ચળવળનું મુખ્ય કારણ ધર્મદેશ અને રાજ્યતૃષ્ણ હતાં એ છે કે ખરું છે, તે પણ તેના મૂળમાં આ વેપારથી તે લાભ હતા, કારણ કે એજ વેપારથી તેઓ સંપત્તિવાન થઈ લડવાને ઉસુક થયા હતા. આ
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy