SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 10 મું. સામાઈક ભંડળની પદ્ધત તથા સંબંધી મુશ્કેલી: 277 અંગ્રેજ પ્રેસિડેન્ટનાં આ સઘળાં કૃત્યે આપણને એટલું જ સુચવે છે કે સુરતમાંથીજ અંગ્રેજોની સત્તાને આરંભ થયો હતો. ટોમસ રેસ્ટેલ [(1925-31) અને વિલિઅમ મેથ્થૌલ્ડ વગેરે સુરતના અધિકારીઓ કંપનીના સુભાગ્યે ઘણું સારા હતા. તેમણે કંપનીની પ્રતિષ્ઠા જાળવી રાખી; અને બાદશાહ આગળ પિતાને મે હેઠે પડવા દીધો નહીં. પૈસાની લેવડદેવડ, ચાંચી લેકને બંદોબસ્ત, અને મકે જનારા યાત્રાળુઓની ધમાલ એ ત્રણે કામને લીધે સુરતનું મહત્વ વધ્યું, અને બીજા રાષ્ટ્રની વતી મોગલ બાદશાહ સાથે મધ્યસ્થ તરીકે કામ કરવા જેટલું અંગ્રેજ વેપારીઓમાં જેમ આવ્યું. સને 1657 માં સુરતના પ્રેસિડન્ટના તાબા હેઠળના સઘળા વેપારી મુલકને એક પ્રેસિડન્સી તરીકે ગણવાને કંપનીએ ઠરાવ કર્યો. સને 1629 થી સને 1934 સુધીમાં કંપનીના વેપારમાં 36 વહાણે વપરાયાં હતાં; એ પૈકી “વિલિઅમ” નામનાં વહાણ ઉપર -160 ખલાસીઓ હતા. એમાંનાં આઠ વહાણે એ પાંચ વર્ષમાં નવાં બંધાયાં હતાં; એ સમયે 600-700 ટન આકારનાં વહાણ બાંધવામાં 50 થી 60 હજાર રૂપીઆ ખર્ચ થતો. સને 1633 માં હિંદુસ્તાનમાંની સઘળી અંગ્રેજ વખારે મળી 100 વેપારીઓ ( factors) કામ કરતા હતા; એમાંના 48 રોગથી આ દેશમાંજ મરણ પામ્યા હતા. પાછળથી વધી ગયેલ ખર્ચ કમી કરવાના હેતુથી કંપનીનાં માણસોને પગાર ઘણે કાપી નાંખવામાં આવ્યા, તે પણ ઈગ્લંડમાં કંપની કેટલેક ધર્માદા ખર્ચ કરતી હતી તે તેણે ઓછો કર્યો નહીં. ગરીબને અન્ન તથા ભિક્ષા આપવાનું, હૉસ્પિટલ વગેરે સંસ્થાઓમાં વર્ગણું ભરવાનું તથા એવાજ બીજા કામે કરવાનું કંપનીએ ચાલુ રાખ્યું હતું. કેટલીક વાર ઈગ્લંડમાં તેને માલ ચોરાઈ જતું હતું. સને 1934 માં ચાર મજારોએ મરીનું ભરેલું એક પિતું ચોર્યું હતું, અને ખીસામાં ભરેલાં મરી ખાતાં મજુર પકડાઈ ગયા હતા. એવી જ રીતે હિંદુસ્તાનથી આવતી કાપડની ગાંસડીઓમાંથી પણ અનેક વેળા ચેરી થતી. . .
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy