SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ 248 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. લાખ રૂપીઆ ગટ ગયા, અને તેને જાપાનને વેપાર બંધ કરવા જરૂર પડી (સને 1623). આ પ્રમાણે જાપાન તરફ કરેલા પ્રયત્ન નિર્મળ જતા હતા તે જ પ્રસંગે, એટલે સને 1616 માં, કંપનીએ ચીન સાથે વેપાર કરવા ખટપટ ઉપાડી. આ પહેલાં ઇલિઝાબેથ રાણીએ સને 1596 માં સરૉબર્ટ ડડલે સાથ ચીનના બાદશાહ ઉપર એક પત્ર મોકલ્યો હતો, પણ તેની સાથે ગયેલું કેઈપણ માણસ પાછું ફર્યું નહીં. એ પછી સને 1614 માં કોકસ નામના માણસ સાથે જેમ્સ રાજાએ ચીનના બાદશાહ ઉપર બીજો પત્ર મેકલ્યા ત્યારે તે દેશ સાથે થોડો ઘણો વ્યવહાર શરૂ થયો. - વલંદાઓ જાપાનમાં અઢી વર્ષ થયાં વેપારની ખટપટ કરી રહ્યા હતા, અને ત્યાં ફાયદે મેળવી દ્રઢથવા સારૂ અનેક ઉપાયો જ્યા હતા, પણ તેમાં તેમને કંઈ પણ યશ મળે નહીં. પિતાના દેશમાંથી સોનું ચાંદી બહાર નહીં લઈ જવા જાપાનના બાદશાહે સખત હુકમ કહાડેલે હેવાથી પરદેશી માલ તેના મુલકમાં આવતે બંધ થયા. સને 1635 થી 38 સુધીનાં ચાર વર્ષમાં પિર્ટુગીઝ લેકે બે કરોડ ત્રીસ લાખ રૂપીઆનું સેનું ચાંદી બહાર લઈ ગયા. તેવીજ રીતે સને 1611 થી 1640 સુધીમાં વલંદા લકે બે અબજ ક્યાસી કરોડ રૂપીઆ જાપાનમાંથી ઘસડી ગયા એ લેખી ઉલ્લેખ મળી આવે છે. આટલું બધું નાણું દેશમાંથી બહાર જતું અટકાવવાના હેતુથી જ તસંબંધી બાદશાહે આકરા ઉપાય લીધા હતા. પ. સર ટોમસ રોની નિમણુક તથા તેનું હિંદ તરફ પ્રયાણસામાઈક ભંડોળની પદ્ધતિ સને 1913 માં કંપનીએ શરૂ કર્યા બાદ ઉપડેલી પહેલી સફરને મુખી કૅપ્ટન ડાઉન હતું તે આપણે ઉપર વાંચ્યું છે. તેને ઈગ્લેંડના રાજાએ અન્ય પ્રજા સાથે વિના કારણુ કલેશ નહીં કરવા, તથા તેના કામની વચમાં આવનાર ઉપર વેર લેવા. ઉપરાંત બીજું કંઈ નહીં કરવા, અને મેળવેલી લૂટ સરકારમાં જમે કરાવવા તાકીદ કરી હતી. સને 1614 ના અકબરમાં ડાઉન્ટન સુરત આવ્યા & Rundall's Memories of Japan.
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy