SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 231 લાવવાને, તેમને ઉદેશ છે. આટલાં સંકટ વેઠી આપના દેશમાં દાખલ થવા જે અર્થે તેમને સ્કૂર્તિ આવી છે તે અર્થે આપ પણ તેમનોગ્ય સત્કાર કરશે, તે બેલવા ચાલવામાં તથા વ્યવહારમાં તેઓ ચોખા અને સભ્ય છે એમ આપને જણાઈ આવશે, અને આપના દેશમાં તેઓના આગમન માટે આપને ખોટું લગાડવાને કારણ રહેશે નહીં. તેવી જ રીતે તેઓ પિતાના વહાણમાં અહીંને જે માલ ભરી લાવે છે તે આપને આપતાં, અને આપની તરફને માલ અહીં લાવતાં એકમેકને જે નિકટને સહવાસ અને વ્યવહાર ચાલુ થશે તે ઉપરથી આપને એમ ઈચ્છા થશે કે તેઓ ફરીથી એવો માલ લઈ આપના દેશમાં આવે. આજ સુધી ફક્ત સ્પેનિશ અને પોર્ટુગીઝ વેપારીઓ અહીને કેટલેક માલ આપના દેશમાં લાવે છે, પણ તેઓ વેપારના સંબંધમાં અમારા વેપારીઓ તથા બીજા લેકેને નાહક સતાવે છે. ખરું જોતાં તેઓ આપના દેશમાં વેપારના ઉદેશથી આવ્યા જ નથી. આપની તરફના સઘળા દેશેના માલિક અને બાદશાહ પિતે છે એમ તેઓ સમજે છે, અને ત્યાંના લેકે પિતાની પ્રજા છે, એવું અહીંના લેકેને તેઓ જાહેર કરી રહ્યા છે; લખાણમાં પણ એવી જ ખુલ્લી રીત તેઓએ અખત્યાર કરી છે. આ અમારા જે લેકે માત્ર વેપારના સૌમ્ય ઉદેશથી આપની તરફ આવે છે તેઓને આપ મહેરબાની કરી આપના દેશમાં દાખલ થવા દેશે, અને આ પહેલા પ્રસંગની ઓળખ ચાલુ રાખી આપની અને અમારી પ્રજા વચ્ચે વેપાર અને સ્નેહની વૃદ્ધિ કરશે, એવી અમને આશા છે. આપની આજ્ઞા હશે તે અમારા કેટલાક વેપારીઓ અહીં પાછા આવી અહીંને માલ ભરી તમારી તરફ લાવે તે પર્યત બાકીનાં માણસો આપનાં કપાછત્ર હેઠળ આપના દેશમાં રહી ત્યાંની ભાષા વગેરે શિખશે, કે જેથી કરી એકમેકના વિચાર તથા રીતરિવાજ એક બીજાની જાણમાં આવ્યાથી નેહની વૃદ્ધિ થતાં ઉભયને હેતુ પાર પડે. : : આપની તથા અમારી વચ્ચે સ્નેહ વૃદ્ધિ પામી વ્યવહારને સ્કૃતિ મળે એ માટે ઉભય પ્રજા વચ્ચે કંઇક કરાર અથવા ઠરાવ કરવાની જરૂર
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy