SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 186 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. એવી જેમ્સ રાજાની સ્તુતિ કરતે તે સ્વદેશ પાછો ફર્યો. પરંતુ આખી અંગ્રેજ પ્રજા વલંદાઓ વિરૂદ્ધ ખળભળી ઉઠી. તેમના ઉપર વેર લેવા કંપનીએ રાજાને એક અરજી કરી, અને કેટલાકે એ એ સંબંધમાં તેની મુલાકાત લીધી. રાજાએ નાઈલાજ થઈ હોલેન્ડમાંના પિતાના એલચીને વલંદા સરકાર પાસે જવાબ માગવા ફરમાવ્યું, અને જે સંતોષકારક જવાબ નહીં મળે તે મરછમાં આવે તેટલા વલંદાઓને શિરચ્છેદ કરવાની અથવા યુદ્ધ કરવાની ધમકી આપવા જણાવ્યું. આ સંદેશાથી વલંદા સરકાર તત્કાળ તે ગભરાઈ ઉઠી, અને તેણે ગવર્નર યુસ્ટને રાજ્ય ઉપર વિના કારણ સંકટ ઉભું કરવા માટે ઠપકે આપે. એ સઘળું છતાં જેસમાં કેટલું શૌર્ય હતું તે વલંદાઓ સારી પેઠે જાણતા હતા. તે બેલવામાં શૂર પણ કામ કરવામાં વ્હીકણ હતું, એ બાબતથી તેઓ અજ્ઞાન નહતા. એટલે આજે જવાબ આપીએ છીએ, કાલે જવાબ આપીએ છીએ એમ કરી કેટલીક વખત તેઓએ કહાડી નાંખ્યો, અને બટેવિઆમાં રહેલા અંગ્રેજોને સહીસલામત ત્યાંથી રવાના કરી દીધા. આ વાતમાં પાંચ સાત માસ નીકળી ગયા, અને જેમ્સ રાજા, માર્ચ 1625 માં મરણ પામે. એટલામાં એમ્બેયનાની સઘળી બારીક વિગત ઈગ્લેંડમાં સઘળાને હેડે સંભળાવવા લાગી. વરસનની વાત સાંભળી લેકેને અત્યંત ખેદ થયે. ઈ.સ. 1604 માં તે ઈગ્લડ છોડી પરદેશ નીકળ્યું હતું, અને નિરનિરાળી જગ્યાએ અરઢ વર્ષ લગી ઉત્તમ સેવા બજાવી એમ્બેયનામાં માસિક 150 રૂપિઆના પગારે અંગ્રેજ કંપનીનો મોટો પ્રતિનિધિ થયું હતું. તે સ્વભાવે ઘણે ભોળો હોવાથી ડચ ગવર્નર મ્યુસ્ટની સાથે તેણે દસ્તી બાંધી હતી, અને પિતાના ખાનગી વિચારે તેને જણાવતો હતે. એટલું જ કરી દૈવરસન બેસી રહેતે નહીં. મ્યુસ્ટના સુસ્વભાવનાં વખાણ બટેવિઆમાંના અંગ્રેજ પ્રેસિડન્ટને તે વારંવાર લખતે. એક વખત મ્યુસ્ટને અભિનંદનને પત્ર મોકલવા તથા કેટલીક દારૂની બાટલીઓ નજર કરવા તેણે પ્રેસિડન્ટને લખ્યું હતું. તેના જવાબમાં પ્રેસિ
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy