SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 5 મું.] હિંદુસ્તાનમાં પોર્ટુગીઝોનું રાજ્ય. કુટીનેના વખતમાં ઈરાન અને ચીન વચ્ચે પુષ્કળ વ્યવહાર વળે. સને 1619 થી 1622 સુધી આબુકર્ક વાઈસરોય તરીકે રહ્યા પછી ૧૬ર૭ લગી કાન્સિસ્કો ડ ગામાએ તેની જગ્યાએ કામ કર્યું. એ દરમિયાન સને 1921 માં યુરેપમાં ત્રીજે ફિલિપ મરણ પામ્ય, અમે ચોથો ફિલિપ ગાદીએ આવ્યો. આ વખતથી સ્પેન દેશની પડતી શરૂ થઈ હતી. પોર્ટુગીઝ લેકેનું નસીબ પણ એવું ઉલટાઈ ગયું કે હિંદુસ્તાન તરફ તેફાનમાં તેમનાં અસંખ્ય વહાણે અને માણસ તથા પુષ્કળ માલ ડુબી ગયાં. પલટાઈ જતી બાજની સર્વ હકીકત ગામાએ પોતાની સરકારને જણાવી, પણ પુનઃ ઉપર આવવાને માર્ગ કેઈને જ નહીં. ગેવા તેમજ ઈતર ઠેકાણે ધર્માધિકારીઓની સંખ્યા સામાન્ય લેકે કરતાં બમણું હોવાથી નવા મઠે બાંધવાનું કામ મોકુફ રાખવાનું ફરમાન યુપથી આવ્યું. બીજી બાજુએ વલંદા તથા અંગ્રેજો પિોર્ટુગીઝની પાછળ પડ્યા, અને ઓર્મઝનું બંદર, જ્યાંથી તેમને વિશેષ ધનપ્રાપ્તિ થતી હતી, તે તેમના હાથમાંથી છીનવી લીધું. આવા કઠણ પ્રસંગે પણ પિટુંબીઝને ખાનગી વેપાર ચાલુજ હતે. લિમ્બનથી પુષ્કળ નિરાશ્રિત છોકરીઓને અહીં મોકલવામાં આવતી, કેમકે રાજ્યના ઠરાવ મુજબ તેમના ધણીઓને સરકારી નોકરી આપવાની હતી. અમુક છોકરીના ધણીને અમુક શહેરના ગવર્નરની જગ્યા મળે એવી વ્યવસ્થા થએલી હોવાથી તે જગ્યા માટે અનેક દાવાદાર આવતા. આવાં સાધનોથી પોર્ટુગીઝ પ્રજાની વૃદ્ધિ કરવાને સરકારને ઉદ્દેશ હતે. કુટીને સને 1628 માં સ્વદેશ ગયો ત્યારે કોચીનના બિશપ બ્રિટએ કેટલીક વખત વાઈસરોય તરીકે કામ કર્યું. તે બીજે જ વર્ષે મરણ પામ્યો ત્યારે તેની જગ્યાએ માઈકલ નરેના આવ્યો. વલંદા તથા અંગ્રેજો ના હિંદુસ્તાનમાં આવવાથી પોર્ટુગીઝને વેપાર સજડ બેસી ગયો હતો તે પાછો ચાલુ કરવાના હેતુથી પિર્ટુગલના રાજાએ એક કંપની સ્થાપન કરી, તેના ભડળ પેટે પોતે પુષ્કળ નાણું આપ્યું, અને મોટા મેટા આસામીઓ પાસે આગ્રહથી તેમાં નાણું ભરાવ્યું, તેમજ હિંદુસ્તાનમાં ગોવા
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy