SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 5 મું. ] હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ જ્ય. 13 થયું. તેણે સને 159 સુધી કારભાર કર્યા પછી એની જગ્યાએ મેથીઆસ ડ આબુકર્ક આવ્યો. એને છ વર્ષને અમલ પુરો થતાં 1597 માં કાન્સિસકે ડગામા વાઈસરૉય થશે. એ સર્વ લેકે તરફ ઘણું ઉદ્ધત રીતે વર્તત હતો. વળી હાથમાંની સઘળી જગ્યાએ એણે પિતાનાં ઓળખીતાં માણસોને આપવાથી એની સામા અસંખ્ય ફરીઆદ થઈ હતી. એના સમયમાં મલાક્કા આગળ વલંદા અને પિર્ટુગીઝ વચ્ચે થયેલી ઝપાઝપીમાં વલંદા લેકેને પરાજય થયો હતો. સને 1600 માં સાલડાના નામને પુરૂષ પોર્ટુગલથી ગોવાના વાઈસરૉયની જગ્યા ઉપર નિમાઈ આવવાથી ડ ગામાને સ્વદેશ પાછા ફરવું પડયું. એના અપ્રિય કારભારને લીધે જતી વેળાએ ગોવાના લેક તરફથી એને ઘણે તિરસ્કાર થયો હતો. ' આ સાલડાનાની કારકિર્દીને મુખ્ય બનાવ એ હતું કે એ સમયે ચીન દેશમાં ખ્રિસ્તી ધર્મને પ્રસાર કરવા માટે પોર્ટુગીઝ ધર્મગુરૂઓની એક ટોળી મોકલવામાં આવી હતી. ખાઈબર ઘાટમાં થઈ મધ્ય એશિઆને રસ્તે અનેક સંકટો ભેગવી આ ટેળી પિકીન પહોંચી હતી. આજ વખત પછી ચીન દેશની ખરી માહિતી યુરોપિઅન લેકેને મળવા લાગી. સાલડાનાની પછી સને 1904 માં આલ્ફોન્સ કેસ્ટ વાઈસરૉયના પદ ઉપર આવ્યું, ત્યારે વલંદા લેકેનું પ્રબળ ઘણું વધ્યું હતું, અને મલાક્કાની નજદીક તેઓએ પોર્ટુગીઝ ઉપર વિજય મેળવ્યો હતો. કૅટે સને 1606 માં મલાક્કામાં મરણ પામવાથી ગેવાના આચબિશપ (મુખ્ય પાદરી) મેન્ઝીસે બે વર્ષ લગી વાઈસરોયનું કામ ચલાવ્યું. એ સમયે પર્ટુગીઝ લેકેને વલંદા સાથે મઝાંબિક આગળ લડાઈ થઈ હતી. ત્યારબાદ તાહેરા નામને સખસ વાઈસરૉય થયે, તેના અમલ દરમિયાન પોર્ટુગીઝ તથા અંગ્રેજ વચ્ચે સુરતના બંદરમાં લડાઈ થઈ હતી. એની હકીકત આગળ આવશે. 6 પિગીઝ અમલને ઉતરત કાળ (સને ૧૬૧ર થી ૧૬૪૦).સને ૧૬૧ર માં વાઈસરોય તરીકે નીમાયેલા અજવીના સમયમાં મોગલ બાદશાહનું મકે જનારું એક વહાણ પિર્ટુગીઝોએ સુરતના બંદરમાં પકડવાથી બાદશાહે દમણને ઘેરે ઘાલી પુષ્કળ નુકસાન કર્યું. એ જ પ્રમાણે
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy