SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 88 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. 4. વાસ્ક ડ ગામાની પહેલી સફર (સને 1497-98). ડીઆસના યુરોપ પાછા ફર્યા પછી થડા સમયમાં જૉન રાજા માં પડ્યો, અને સને 1495 માં મરણ પામે. તેની પછી તેને છોકરે ઈમેન્યુઅલ ગાદી ઉપર આવ્યા. પૂર્વને અનુભવ ઉપયોગમાં લઈએ હિંદુસ્તાન જવાને જળમાર્ગ શોધી કહાડવાના કામમાં દ્રઢતાથી મચે રહ્યા. પ્રસિદ્ધ જેશીએને પ્રશ્ન કરી આ કામમાં તેને જરૂર યશ મળશે એવું અભયવચન તેણે મેળવ્યું. આ માટે તેણે ત્રણ વહાણે ખાસ બંધાવ્યાં, અને તેના ઉપર સઘળા પ્રકારની વ્યવસ્થા કરી વાસ્કે ડ ગામા નામના એક હોંશીઆર વહાણવટીને તેને હવાલે સે. આ વહાણોનો આકાર 125 થી 300 ટન લગી હત. વાસ્કો ડી ગામાની સાથે તેને ભાઈ પલે ડ ગામા, ડીઆસની સાથે સફરે ગયેલામાંના કેટલાક ખલાસીઓ તથા બાલમે ડીઆસને ભાઈ ડઆગે આિસ વગેરે હતા. સઘળા મળી આ પ્રવાસમાં સુમારે 200 માણસ હતાં, અને તેઓ માટેની સઘળી વ્યવસ્થા રાજાએ જાતે મહેનત લઈ પૂર્ણ કરી હતી. શનિવાર તા. 8 જુલાઈ 1497 ને રોજે આ વહાણે યુરેપનો કિનારે છોડી બહાર નીકળ્યાં. આસરે અકબર નવેમ્બરમાં તેઓએ આફ્રિકાને દક્ષિણ છેડે વટાવ્યો, પણ અહીં તેમને એટલું તે સખત તેફાન નડયું કે ખલાસીઓ ત્રાસી ગયા, આગળ જવા નાહિમત થયા, અને બંડ કરવા લાગ્યા. પણ ગામાએ સર્વને ધમકાવી કેટલાક અગ્રેસરેને અટકાવમાં રાખી તેફાન શાંત પાડયું. આગળ જતાં ક્રિસ્ટમસ ડે એટલે, ડીસેમ્બર માસની પચીસમી તારીખે કિનારે દેખાતાં ડ ગામાએ તેને નેટલ (એટલે ક્રાઈસ્ટને જન્મ દિવસ) એવું નામ આપ્યું. એ નામ અદ્યાપિ ચાલે છે. સને 1498 ના માર્ચમાં આ કાફલો મઝાંબિક પહોંચ્યા. રસ્તામાં તેણે મુસલમાન લોકોનું એક વહાણ પકડયું તે તેમાં મુંબઈ તરફને દાવ ( Davane) નામને એક મુસલમાન દલાલ તેમને મળે. આ દલાલને હિંદુસ્તાન તરફના રસ્તાની તથા વેપારની ઘણી સારી માહિતી હોવાથી ગામાને તે ઘણે ઉપયોગી થઈ પડ્યો. આવા દલાલનાં કૃતજ્ઞ વર્તનને લીધે અનેક પ્રસંગે ગામાને નિભાવ થયો હતે. કારણ
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy