SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ લેગસની ખાસ આરાધના ૩૪૫ (૧૪) આ કિયા આસન પર બેઠાં બેઠાં જ કરવાની છે, એટલે તે કિયાને પ્રારંભ કરતાં પહેલાં જ બિછાવી દેવું જોઈએ અને માલાની પેટી આપણું જમણે હાથે રહે એ રીતે ગોઠવી દેવી જોઈએ. (૧૫) પ્રથમ પૂજા, પછી પાઠ, પછી જપ અને પછી ધ્યાન, એ આરાધનાનો સુવિહિત કમ છે, એટલે સહુ પ્રથમ ચોવીશ જિનપટની વાસક્ષેપથી પૂજા કરવી જોઈએ અને તે પછી પુષ્પપૂજા કરવી જોઈએ. જે રેજ પુષ્પપૂજા કરવાનું શક્ય ન હોય તે અઠવાડિયામાં એક વાર અને તે પણ શક્ય ન હોય તે પક્ષ એટલે પંદર દિવસમાં એક વાર પુષ્પપૂજા કરવાનું રાખવું જોઈએ. તેમાં મગરે, જઈ ચ,િ ગુલાબ, જાસુદ, સેવંતી વગેરે સુગંધી પુષ્પ વાપરવાનું ધ્યાનમાં રાખવું. પ્રજન પરત્વે જુદાં જુદાં પુષ્પો ઉપયોગ થાય છે, પણ અહીં તેની વિચારણા ઉપયોગી નથી. વાસક્ષેપપૂજા દરેક તીર્થકરને નામમંત્ર બોલીને ખૂબ શાંતિપૂર્વક કરવી. આ મંત્ર અમે હવે પછીનાં પ્રકરણમાં આપેલા છે. જે. ચવીશ તીર્થકરેને નામમંત્ર પૂર્વક પુષ્પ ચડાવી શકાય તે ઉત્તમ, અન્યથા “ી રવિંશતિતીર્થો નમ:' બોલીને ૫ટ પર ૭, ૧૪ કે ર૭ પુષ્પ ચડાવી દેવાં, જે અગાઉથી થાળીમાં તૈયાર કરી રાખેલાં હોવાં જોઈએ. આ આરાધનાના પ્રથમ દિવસે ગંધપૂજા એટલે વાસક્ષેપપૂજા, દીપપૂજા અને ધૂપપૂજા ઉપરાંત પુષ્પપૂજા અને
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy