SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ લાગસ મહાસૂત્ર તે વ્યકિતગત ખાસ આરાધનાની છે અને તે આધુનિક સયેાગામાં ઘણી ઉપયોગી છે. જૈન શાસ્ત્ર-સિદ્ધાંતાના ઊંડા અવલેાકન પછી અમારા એવા ખ્યાલ બંધાયા છે કે પૂમહિ આ લેગસ્સસૂત્રની ખાસ આરાધના કરતા. આ આરાધના માટા ભાગે કાયા. સ–અવસ્થા ધારણ કરીને કરતા, એટલે કે તેઓ ભૂમિ અને શરીરનુ' પ્રમાન કરીને, બે પગ વચ્ચમાં ચાર આંગળનુ અંતર રાખીને ઊભા રહેતા, શરીરનું હલન-ચલન બિલકુલ બંધ કરી દેતા, બે હાથની અંજલિ જોડતા અને મનના સઘળા વિક્ષેપ દૂર કરીને તથા સૌમ્યભાવ ધારણ કરીને એક શ્વાસેાાસે લેગસ્સના એક ચરણનું સ્મરણ કરતા. પાચલમાં ઉલાલા ના અર્થ એ છે કે, એક શ્વાસેાજાસે લેગસસૂત્રનું એક પદ્મ એટલે એક ચરણ સ્મરવું. આ રીતે અઠ્ઠાવીશ શ્વાસેાાસમાં અઠ્ઠાવીશ ચરણવાળા એક લાગસ્સનું સ્મરણ પૂરું થતુ’. આ પ્રમાણે એક શ્વાસેા શ્વાસે લેગસ્સનું એક ચરણ મરવાની પાછળ તેમના મુખ્ય હેતુ એ હતેા કે તે આપણા શ્વાસેાાસની સાથે તાલબદ્ધ ખની જાય અને આપણા પ્રાણમાં ભળી જાય. પછી તે જ્યારે પણ શ્વાસેાસ લઇએ, ત્યારે લેાગસ્સનાં ચરણા યાદ આવે અને તે આપણને જિનભગવંતાનુ ઉદ્બોધન કરી જાય. જ્યાં જિન ભગવાન' ઉદ્દેધન થાય, ત્યાં તેમના ઉપદેશ યાદ આવે, ખાસ કરીને તેમણે પ્રખેાધેલા સામાયિકની યાદ તાજી થાય અને આપણા આત્મા રાગ-દ્વેષથી હુડીને સમત્વ : પ્રતિ અગ્નિમુખ થાય. તેમને તે આ ભૂમિકા જ જોઈતી હતી,
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy